શ્રીનાથજી ચરિત્ર એક દિવસ રામદાસ મુખીયાજી શ્રીનાથજીના શ્રુંગાર કરી રહેલા ત્યારે પ્રભુ શ્રીનાથજી બાવાએ
એક દિવસ રામદાસ મુખીયાજી શ્રીનાથજીના શ્રુંગાર કરી રહેલા ત્યારે પ્રભુ શ્રીનાથજી બાવાએ રામદાસજી ને પહેલી વાર કાકાશ્રીથી ( શ્રી ગુંસાઈજી ચરણથી ) છાનીમાની એક આજ્ઞા કરી તો તે આજ્ઞા સાંભળ્યા પછી રામદાસ કહે શ્રી ગુંસાઈજી આપ તો બહાર છે તો શુ પ્રભુ આપશ્રીની (ગુંસાઇજીપ્રભુની)આજ્ઞા વગર ? ( કેમ કે શ્રીગુસાંઈજી ની આજ્ઞા વગર આજ સુધી કોઈ પણ નીયમ તોડ્યો નથી તેથી રામદાસને થોડો અસમંજસ ભાવ થઈ જતા આમ વીનંતી કરી. ) શ્રીનાથજી બાવા બોલ્યા આજે ભલે નીયમ તુટે પણ જો કાકાશ્રી ( શ્રીગુંસાઈજી )ખીજે તો મારુ નામ દઈ દેજો . રામદાસજીએ ભલે કહી શ્રીનાથજી ને શ્રુંગાર ધરી પછી મંદીરના ચોકમાં જ્યાં કુંભનદાસ કીર્તન (શ્રીગુસાંઇજી ની વધાઈનું ગાન કરી રહ્યા હતા કારણ કે બીજા દિવસે શ્રીગુસાંઈજી નો પ્રાગટ્ય ઉત્સવ હતો તેથી. ) ગાઈ રહેલા તેમને કાનમાં શ્રીનાથજીએ જે આજ્ઞા કરી તે જણાવીતો કુંભનદાસજીને આનંદનો પાર ન રહ્યો તરત શ્રીકુંભનદાસજીએ સદુપાંડે અને અન્ય સેવકોને વાત કરી સહુના આનંદનો પાર નથી કારણ સાક્ષાત ગોર્વધન ધરણ પ્રભુએ પહેલી વખત સામેથી માંગીને મનોરથ સિધ્ધ કરવા આપણને સહુને પોતાના ગણ્યા તે પણ શ્રી ગુંસાઈજી ચરણ ના ઉત્સવ માટે આપશ્રી તો બહારથી કાલે પધારશે એ પહેલા મનોરથ માટેનુ દ્રવ્ય એકત્રીત કરવા કુંભનદાસજી સીધા જમનાવતા ગામ ચંદ્રસરોવર જઈને આવી પણ ગયા અને પોતાની પાંચ મુદ્રા ધરી અન્ય સેવકોએ પણ પોતાની શક્તી મુજબ રામદાસને મુદ્રા ધરતા કુલ ૨૧ મુદ્રાઓ થઈ હવે સદુપાંડે દેગડા ભરી ધી અને મેદો થેલાઓમાં ભરી લાવ્યા ત્યારે અન્ય સેવકને ખાંડ અને અન્ય સામગ્રી લેવા મોકલ્યો મેંદાના ચૂન (લોટ) ને ખાટા દહીમાં આથવામાં આવ્યો અને આજે સંધ્યાએ આજે વહેલા શણગાર સજ્યા જ્યાં ખાંડ,આવી ગઈ ફટાફ્ટ રસોઈ બાલ ભોગના કમાડ વસાયા ચુલા પેટાવાયા કઢાઈ ચઢાવી ધી રેડાયું બીજે ચૂલે ખાંડની ચાસણી તૈયાર થવા લાગી જાડા વસ્ત્રમાં છીદ્ર કરી ચુન (પલાડેલો લોટ) ભરવામાં આવ્યો કઢાઈની ઉપર ધી ગરમ થઈ જતા ભીતરીયાઓના હાથ ગોળગોળ ફરવા લાગ્યા અને ગરમ થયેલા ધીમાં જલેબીના કુંડાળા રચાવા લાગ્યા અને જલેબી તળાઈ રહેતા ખાંડની ચાસણીમાં ડુબવા માંડી જલેબીના ટોકરાઓ ભરાવા લાગ્યા આખી રાત આજ ક્રમ સાથે પસાર થઈ આખુ પાકાલય જલેબીના ટોકરાઓથી ભરાઈ ગયું સવારે બે ઘડીનો વિશ્રામ લઈ સહુ આવી ગયા પ્રથમ ચોક પુરાયા, તોરણો બંધાયા , શ્રીનાથજીને અભ્યંગ ઉબટન કરવામાં આવ્યુ. કેસરી વસ્ત્રો ધરાવાયા અતી ભારે શ્રુંગાર થયો વ્રજના પુષ્પોની વનમાળા ધરાવાઈ સર્વ જગ્યાએ લાલ મલમલ બીછાવ્યુ સઘળા પાત્રો સૂવર્ણ ના અને ઝારી બંટા આરસી જડાઉ ધરામાં આવ્યા .મોટી વેણું અને વેત્ર પણ જડાઉ આવી ખુબ ઝગમગ થવા લાગ્યુ હવે સ્વયં શ્રીનાથજી સાથે સર્વ સેવકો શ્રી ગુંસાઈજી ચરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ તરફ નીત્ય ગોકુલ વાસ દરમ્યાન નીજ સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રીયાજી ની સેવાથી પહોંચી આજ્ઞા લઈ ઘોડા ઉપર ગોકુલ થી ગીરીરાજજી તરફ વિજય કર્યો ત્યારે અહીં શ્રીનાથજી ને રાજભોગ ધરાવવામાં આવ્યો. કુંભનદાસજીએ અનુપમ કીર્તનો ગાયા "આ જ બધાઈ શ્રી વલ્લભદ્વાર ...", પ્રગટ ભયે શ્રી વલ્લભ આય આવી અનેક વધાઈ ગાઈ કુંભનદાસજીએ શ્રીજી બાવાને એ આનંદનું સ્મરણ કરાવ્યુ જયારે ચરણાટ (ચરણાદ્રી) માં શ્રી વલ્લભ ગૃહમાં શ્રી વીઠલનાથ નુ પ્રાગટ્ય થયું હતું અને બરોબર તે જ વખતે શી ગુંસાઈજી ના પધારવાના ખબર આવ્યા સૌ કોઈને રોમાંચ વ્યાપી ગયો અને જેવા આપ પ્રવેશ્યા કે તરત બાવાની સુધી લેતા કેટલે પહોંચ્યાં? રામદાસ કહે રાજભોગ ધરાવ્યો છે.સમય થતા આપશ્રીએ રાજભોગ સરાવ્યો ત્યારે જોયું તો રાજભોગ સાથે ચારે બાજુ જલેબી જ જલેબી કે તરતરામદાસને પૂછ્યું આ સામગ્રી આટલા અધીક પ્રમાણમાં શા માટે ધરવામાં આવી છે આજે શાનો ઉત્સવ છે. ? ત્યારે રામદાસ બોલ્યા "જે કૃપા નાથ આજે આપનો પ્રાકટ્ય દીન શ્રી ગોવર્ધન ઘરણ મનાવી રહ્યા છે સૌ સેવકોને ખાસ સામગ્રી જલેબી સીદ્ધ કરવાની આજ્ઞા કરી છે અને સાથે ખાસ આનંદ સાથે કહ્યું હતું કે જલેબી રસરૂપ છે ... કાકાજીના પ્રાગટ્ય દીને જલેબીથી અધીક ઉત્તમ સામગ્રી બીજી કોઈ હોઈ જ ન શકે માટે જલેબી જ આરોગવી છે એમ કહી જીદ પકડી ત્યારે ગુંસાઈજી ગદગદીત થઈ ગયા અને પ્રેમ વાત્સલ્યથી શ્રીનાથજી તરફ દ્રષ્ટી કરી શ્રી ગુંસાઈજીને પ્રાક્ટ્ય દીનની વધાઈ આપતા કહ્યું "કાકાજી આપ આ નીદોર્ષ સેવકો પર નારાજ થતા નહી અમારી આજ્ઞા થીજ આ સામગ્રી તૈયાર કરી છે અમને આપનો પ્રાકટ્ય દીન પચલીત કરવાની બહુ ઈચ્છા હતી એટલે આજે રહેવાયુ નહી અને જલેબી સીદ્ધ કરવાની આજ્ઞા આપી જ દીધી કાયમ ધામધુમ અને વૈભવ પૂર્વક આપનો પ્રાક્ટ્ય દીન ઉજવાય એ ઈચ્છાથી જ આજે આ શરૂઆત કરી છે ખુબજ પ્રસન્ન થયેલા પણ મનોમન ઘણા સવાલ ઉભા થયા તે ત્યાર પછી જેવા અનોસર માં બેઠકમાં પધાર્યા કે તરત પુછ્યુ રામદાસજી સામગ્રી ખુબજ અધીક પ્રમાણમાં છે આ બધુ ક્યાંથી આવ્યું? કોણ લાવ્યુ? જે જે સર્વ સેવકો ભેગા મળી આ બધુ લાવ્યા. ત્યારે પ્રભુ કહે અમારા સેવકોની સંખ્યા અને મર્યાદાથી અમે અજાણ નથી જરા વિગત વાર સમજાવશો? ત્યારે રામદાસ કહે આપની જ કૃપાથી સર્વ સીધ્ધ થયું છે પ્રભુની આજ્ઞા થતા સદુપાંડે ધી અને મેદો લઇ આવ્યાકુંભનદાસ પાંચ મુદ્રા અને બીજા સેવકો એક, બે મુદ્રા લાવ્યા એમ કરી ૨૧ મુદ્રાની ખાંડ મંગાવી ત્યાંજ ગુંસાઈજી બોલ્યા જરા થોભો કુંભનદાસજીને બોલાવી પુછ્યું તમારા ઘરની સર્વ વાત તો અમે જાણીએ છીએ તો પાંચ મુદ્રા લાવ્યા કેવી રીતે ? કુંભનદાસજી કહે મહારાજ મારુ ઘર આપના ચરણારવીંદમા છે શ્રીનાથજી બાવા ના ચરણોમાં મુક્યા છે નહીતો અમે ક્યા હોત? જય હો કૃપાનાથ બધુજ આપશ્રીની કૃપાથી જ થઈ શક્યુ છે.ત્યારે શ્રી ગુંસાઈજી ચરણ પણ શ્રી મહાપ્રભુજીના સેવકોને કાયમ માટે ખુબજ સન્માનની દ્રષ્ટીથી નીરખતા તેથી તે જ ભાવ સાથે સ્વભાવીક આશીર્વાદ નીકળયો " શ્રીમદાચાર્યચરણ જેના પર કૃપા કરીને આવી દીનતાનું દાન કરે એ જ એને પામી શકે અને પચાવી શકે તેથી તો ગોવર્ધન નાથ સદાય એમના વશમાં રહે અને ત્યારથી આજ સુધી માગશર વદ નોમ ના દીવસે શ્રીનાથજીને અત્યાધીક માત્રામાં જલેબી ધરાવાય છે અને શ્રી ગુંસાઈજીના પ્રાકય્ય દીનને જલેબી નોમ જલેબી ઉત્સવ નામે ઓળખાય છે,આગળ નો પ્રસંગ આવતીકાલે આવશે...

ક્રમાંક ૧૦૬ અધિકારીએ કહ્યું કે હજી તુ સુરત નથી ગયો? વ્રજવાસીએ તે સુરતથી લાવેલા હૂંડી અને પત્રને આ

ભાગવતજીના વિડિયો ક્લિપ માં ચારે સનકાદી બાલકો દિગંબર અવસ્થામાં હતા તેથી સાધારણ જાણી તેમને રોકી લીધા

80 વર્ષ ના ડોહી ગરમ થઈ ગયા..😂બોલો ….|mayabhai ahir|mayabhai jokes 2026|new comedy jokes|dil no ડાયરો

🔴 Makkah Live | مكة مباشر | الحرم المكي مباشر | قناة القران الكريم السعودية مباشر | مكه المكرمه

The Climate Clock Podcast| India's Biggest Renewable Energy Opportunity Is Still Untapped

«Der Weltkrieg kommt»: Roger Köppel am AfD-Demokratiekongress zur Lage in Europa

એક વ્રજવાસી જેને શ્રીગોસાઈજીએ પરે કહેલું તે પ્રસંગ મા હવે આગળ નો પ્રસંગ..ગામમાં અધિકારી ટહલવા છે.

Will there be a Global Reset? | ISI in Bangladesh | Pakistan IWT | Lt Gen DP Pandey, Gen PR Shankar

Beautiful Relaxing Music - Stop Overthinking, Stress Relief Music, Sleep Music, Calming Music #82

A few minutes ago: Von der Leyen shuts off the air conditioning for the "common folk" in the EU b...

સર્વોતમજી ગ્રંથ "ભૂમિભાગ્યં" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે,

EILMELDUNG: Sie haben mich ins Visier genommen

શ્રીનાથજી ચરીત્રમાં એક પ્રસંગ માં ત્રીપુરદાસ વૈષ્ણવ મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક શેરગઢમાં વસતા

🔴 Makkah Live | مكة مباشر | الحرم المكي مباشر | قناة القران الكريم السعودية مباشر | مكه المكرمه

Trinken Sie viel Wasser! | Der Wegscheider

Ancient Sun Mantra To Remove Negative Energy from MIND BODY SOUL & HOME | Om Japa Kusuma Mantra -3hr

Rekha जी को रुलाने के बाद Amitabh ने पोंछे उनके आंसू || The Kapil Sharma Show || Latest Episode ||

Fatafat News LIVE | 22 મિનિટમાં જુઓ આજના સૌથી મહત્વના 100 સમાચાર, ફટાફટ અંદાજમાં | ABP Asmita LIVE

Being Calm in a Storm | Pujya Chaitanyamurtidas Swami | BAPS Satsang Katha

