શ્રીનાથજી ચરીત્રમાં એક પ્રસંગ માં ત્રીપુરદાસ વૈષ્ણવ મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક શેરગઢમાં વસતા
હરીરાય મહાપ્રભુજી રચીત શ્રીનાથજી ચરીત્રમાં એક પ્રસંગ માં ત્રીપુરદાસ વૈષ્ણવ મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક શેરગઢમાં વસતા હતા મોગલ મુસ્લીમ રાજાને ત્યા અમલદાર ને ત્યા ત્રિપુરદાસની નોકરી હતી તેથી આવક ખુબ હતી પ્રભુ પ્રત્યે ખુબજ ભાવ તેથી દરશિયાળે મારા શ્રીનાથજી બાવાને વ્રજની શીયાળાની અતી ઠંડી ના લાગી જાય એ ભાવથી ગરમ ઉન સાથે મોંઘા વસ્ત્ર નો બનાવેલો એક સુંદર ડગલો મોકલતા , બાવા પણ ગીરીરાજજી ઉપર શીયાળો શરૂ થાય કે તે ત્રીપુરદાસના અતી ભાવ ભરેલુ કીંમતી વસ્ત્ર સાથે ના બનાવેલા ગરમ ઉનના ડગલાની પ્રતીક્ષા કરતા રહે હવે ત્રીપુરદાસજી જ્યા કામ કરતા હતા ત્યા વહીવટમાં એક દીવસ અન્ય હરીફો એ અદેખાઈ પૂર્વક જાણી જોઈને કાવત્રુ કરી ત્રીપુરદાસને ફસાવી દોષી સાબીત કરાવી દીધો એની સજા રૂપે તે મુસ્લીમ અમલદારે ત્રીપુરદાસની તમામ સંપતી જપ્ત કરી લઈને બંદી ખાનામાં નાખી દીધો પ્રભુથી કશુ અજાણ્યુ રહી શકતું નથી ત્રીપુરદાસ કેદખાનામાં પોતાના પૂર્વના કોઇ કર્મફળ ભોગવી રહ્યાનું માની સહન કરી રહેલા પણ શ્રીનાથજી બાવાથી કેમ કરી સહન થાય? જે જીવને શ્રી વલ્લભે મને સોંપી દીધો તો એ જીવનું દુખ મારાથી કેમ સહન થઈ શકે.? ત્રીપુર દાસનું દુખ પ્રભુથી જોવાયું નહી પ્રભુએ અડધી રાત્રે ચાર દુતોને મોકલ્યા પેલા અમલદાર ના પલંગને ઉંધો કરી દીધો પેલો પટકાયો એ સાથે ચારેય દુતો મગદળ થી મારવા લાગ્યા હવે અમલદાર ખુબ પીડા પામ્યો અને આટલા સશસ્ત્ર ચોકી પહેરા જાપ્તા વચ્ચે આ ચાર અંદર કેવી રીતે આવી ગયા ? અને આરીતે મારે તે કોઈ સાધારણ લોકો નથી એમ સમજી ગયો અને શરણે ગયો ત્યારે પ્રભુના દૂતો કહે મૂર્ખા કાવતરુ કોઈ કરે અને સજા ત્રીપુરદાસ ભોગવે ? અમલદારે તત્કાલ ભુલ કબૂલી ત્રીપુર દાસને મુક્ત કરી ફરી નોકરીએ રાખી લીધા સંપતી પાછી આપી દીધી પણ જ્યારે જાણ્યું કે મારા શ્રીનાથજી બાવાને શ્રમ આપ્યો તે હવે અમલદાર ની નોકરી પરથી મન ઉઠી જતા સામેથી નોકરી છોડી દીધી એનું પરીણામ સ્વાભાવીક નાણાભીડ ઉભી થઈ હવે જેવો શીયાળો આવ્યો ત્યાં દર વર્ષે પેલો કીમતી ડગલો લેવા આવવાનો સમય થતા તેજ શ્રીનાથજી નો ભેટીયો ડગલાની ભેટ માટે આંગણે આવીને ઉભો રહ્યો પણ ત્રીપુરદાસ દુખી દુખી થઈ ગયા પણ ફુલ નહી તો ફુલ ની પાંખડી એ ભાવે એક ચાંદીનો ખડીયો બચેલો તે વેચી ખાદીનો કેસરી રંગનો તાકો ખરીદ્યો અને કચવાતા મને ભેટીયાને સાધારણ સેવકી સાથે વીદાય આપી ભેટીયાએ અન્ય વૈષ્ણવોની ભેટ સાથે એ ખાદીનો તાકો વ્રજમાં શ્રી ગોવર્ધન પર્વત ઉપર મંદીરના ભંડારમાં જમા કરાવી દીધો હવે દેવઉઠી એકાદશી નો દીવસ આવ્યો ત્યારે ઉત્થાપન પછી શ્રી ગુંસાઇજીએ શ્રીનાથજી બાવાને આજથી ડગલાનો સેવા ક્રમ શરૂ થતો હોઈ ને કોઇ શ્રીમંત વૈષ્ણવ થી આવેલો કીંમતી ડગલો ઓઢાડ્યો ત્યાંતો બાવા બોલ્યા કાકા આજે ઘણી ઠંડી છે કેમ સાચુને કાકાશ્રી? ત્યાંતો બીજો ડગલો ઓઢાડ્યો તો બાવા કહે કોણ જાણે કેમ પણ મને હજી પણ ઠંડી તો લાગે જ છે કાકા કે તરત શ્રી ગુંસાઈજી એ અંગીઠી (સગડી) ધરીને આંચ પ્રજવલીત કરી એક અંગી (રૂભરેલું વસ્ત્ર) પહેરાવીને ઉપરથી રજાઈ ઓઢાડી. ત્યાંતો શ્રીજી બાવાના દાંતની કડકડાટી બોલવા લાગી અને સાચે જ ધ્રુજવા લાગ્યા પણ હવે ગુંસાઈજી પ્રભુ શ્રીજી બાવાના સ્વભાવને જાણનારા છે તેથી તરત ઝબકારો થયો અને ભંડારીને કહ્યુ આવર્ષે જેમના જડાવર (ડગલા) આવ્યા છે તે સહુના નામ બોલો બધાય નામ બોલાઈ ગયા પણ ત્રીપુરદાસ નુ નામ ન આવ્યુ કે તરત આપશ્રી એ પુછ્યું કે પેલા અમારા ત્રીપુરદાસની ભેટ ક્યાં છે ? તો કહે કૃપાનાથ દ્રવ્ય સંકોચ થવાથી આ વર્ષે ખાદીનો તાકો મોકલાવ્યો છે શ્રી ગુંસાઈજી એ તરતજ એ ખાદીનો તાકો મંગાવ્યો અને દરજીને બોલાવડાવ્યા આ થાનની ચાર વડી ગડી કરી એમાં રૂ પાથરી એને ટાંકા ભરી રજાઇ જેવું કરાવી જ્યાં શ્રીનાથજીને ઓઢાડી ત્યાંતો દાંત કકડતા બંધ થઈ ગયા મુખ પ્રસન્ન થઈ ગયું કહે "હાશ, કાકાજી હવે બહુ સારુ લાગે છે અમારી ઠંડ હવે દૂર થઈ ગઈ "તરત શ્રી ગુંસાઈજી ચરણ દીન થઇ ગયા અને સેવકો વતી બોલ્યા "બાવા સેવકોનો અપરાધ ક્ષમા કરજો અને જ્યારે અહી ત્રીપુરદાસ જીને ધરાવાયેલ પ્રસાદી ડગલો પ્રસાદી તરીકે પાછુ મળીયુ ત્યારે જે લીલા થયેલી તે ભેટીયાએ બધી જ લીલા ત્રીપુરદાસજી ને કહી સંભળાવી ત્યારે ત્રીપુરદાસજી ના હૈયે જે અનુભવ થયો હશે એનુ વર્ણન કોણ કરી શકે? તે જ વખતે પેલા ભેટીયા ની આગળ કીર્તન ગાયુ " "નવરંગ લલન બીહારી મેરો કહે, જાડો મોહિ અધિક સહાય. પહેરી કંવાઈ ઔઢી લઈ ફરગુલ , તો હુ સીત સતાવત આય... " વધુ કાલે

ક્રમાંક ૧૦૬ અધિકારીએ કહ્યું કે હજી તુ સુરત નથી ગયો? વ્રજવાસીએ તે સુરતથી લાવેલા હૂંડી અને પત્રને આ

બ્રહ્મસંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર નું અનુસંધાન આવશે

પાટીદાર સમાજ ની કલાકાર દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો દુષણ કેમ?

એક દૂજે કે લિયે! | Jay Vasavada | Devaki | Wedding Season Special | Talk Show

The Power of a Single Neuron and a Path to Simulating the Brain | Dr. Konrad Kording

Instant Focus Mode – 40Hz Gamma Brainwave Music for Deep Focus & Productivity

Logic Tells, Emotion Sells: The Art of Advertising | Sumanto Chattopadhyay A Candid SOHB Story

ભાગવતજીના વિડિયો ક્લિપ માં ચારે સનકાદી બાલકો દિગંબર અવસ્થામાં હતા તેથી સાધારણ જાણી તેમને રોકી લીધા

GOD SAYS;- THIS HEAVENLY ALERT IS FOR YOU - OPEN... | GOD'S MESSAGE FOR YOU TODAY

Gen Z: Truth Behind Protests in Bangladesh, Nepal & India | Sanjay Bhardwaj & Pathikrit Payne |EP426

શાંતિનિકેતનઃ અમેરિકામાં ભારતીય સિનિઅર સિટિઝનની Retirement Community વસાહત Ramesh Tanna Navi Savar

એક વ્રજવાસી જેને શ્રીગોસાઈજીએ પરે કહેલું તે પ્રસંગ મા હવે આગળ નો પ્રસંગ..ગામમાં અધિકારી ટહલવા છે.

ભાગવત મા વિડિઓ ક્લિપ માં આગળ નો પ્રસંગ ત્યારે કશ્યપજીએ કહ્યુ કે ગૃહસ્થાશ્રમી ની ફરજ છે કે પોતાની

THEY CAN MAKE AS MUCH NOISE AS THEY WANT, IT’S JUST NOT ENOUGH!

મોટી સ્કૂલ કે મોટા શહેરથી નહીં, મોટા ઇરાદાઓથી સફળ થવાય! | Jay Vasavada

Calm Seaside Night Escape 🌊🔥 Fireplace Crackles, Ocean Waves and Calm Sleep Sounds

This plan has long been running in the background... | Tom Regenauer

સર્વોતમજી ગ્રંથ "ભૂમિભાગ્યં" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે,

'PATHETIC ATTEMPT', Russia Envoy's 15 Minute Speech CALLS OUT West's PEACE Hypocrisy At UNSC

