સર્વોતમજી ગ્રંથ "ભૂમિભાગ્યં" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે,
શ્રીગુસાંઈજી પ્રભુએ કૃપા કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૧૦૮નામ પ્રગટ કર્યા છે તે સર્વોતમજી ગ્રંથ જેના પર શ્રીગોકુલનાથજીએ કૃપા કરી ટીકા વ્રજભાષા માં રચી છે તેમાં આજે "भूमिभाग्यं" "ભૂમિભાગ્યં" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે, તે વ્રજ ભાષાની ટીકાનો ગુજરાતીમાં અનુવાદ આવશે .. સર્વ પ્રથમ શ્રી ગોકુલ નાથજી રચિત વ્રજ ભાષામાં ટીકા:-भूमिभाग्यं १०६ याको अर्थ अब कहत हैं जो श्रीआचार्यजी महाप्रभु आप केसे हे जो जब भूमि के परम पुण्य परम भाग्य उदय होत हे॥ तब श्रीआचार्यजी महाप्रभु को प्रागट्य भूतल में भयो हे ॥ तातें भूमि के पूर्णपुण्य फल के उदयकर्ता श्रीआचार्यजी महाप्रभु हैं। सो अभिप्राय कारण यह है जो भूमि हे सो भक्त रूप है जाते भक्त को तो भगवद्धर्म, भगवद् भक्ति, भगवद् सेवा भजन भूमि को अत्यंत प्रिय है। सो तो मायावादी आदि ओर अनेक भगवद् विमुख धर्म के आचरणकर्ता जब प्रगट भये ता करि मायावादी को बहुत विस्तार भयो अरु भक्तिमार्ग उच्छिन्न भयो । ताते भूमि तो भक्त हे सो भक्ति के उच्छिन्न भयेते भूमि अत्यंत दुखी भई हती असुररूपी मायावादी के संबंध भयेतें ॥ सो जब श्रीआचार्यजी महाप्रभु भूतल पे प्रगट भये तब भूमि को भाग्य उदय भयो । सो काहेते जो श्रीआचार्यजी महाप्रभु प्रगट होय मायावादी आदि अनेक भगवद् विमुखवाद को खंडन करि साकार ब्रह्मवाद प्रगट करि स्थापन करि पुष्टिभक्तिमार्ग प्रगट कर भगवद् भजन भगवद् सेवादिक भगवद् धर्म प्रगट करि भक्ति को विस्तार किये ता करि भूमि को क्लेश हू गयो । अरु भाग्य हू उदय भयो ॥ अरु श्रीआचार्यजी महाप्रभु को चरण संबंध प्राप्त भयो ॥ दुष्टन के संबंध ते अनेक दोष भये हते सौं सब नाश भये ॥ परम पवित्रता प्राप्त भई ॥ अरु भक्तन के पतिश्री सो श्रीपूर्णपुरुषोत्तम स्वरूप श्रीआचार्यजी महाप्रभु प्रगट भये ताते भूमि के भाग्य रूप सौभाग्य रूप श्रीआचार्यजी महाप्रभु प्रगट भये ताते भूमि को श्रीआचार्यजी महाप्रभु के प्रगट भये ते परम आनंद हर्ष प्राप्त भयो। जो मेरे ऊपर श्रीआचार्यजी महाप्रभु की स्थिति भई है ॥ यह जतायबे के लिये यह नाम कहे जो भूमि भाग्यं ॥ अब कहत हे जो पुष्टिभक्तिमार्गीय भक्तन कों निष्काम होय आप दर्शन दिये ॥ ताकरि सेवकन के भाग्य उदय करबेवारे हे आप श्रीआचार्यजी महाप्रभु यह जतायवे के लिये श्रीआचार्यजी महाप्रभु को नाम श्रीगुसांईजी कहे जो ॥ नाम ॥ सहजसुन्दरः १०७ આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી રચિત વ્રજભાષામાં ટીકા આવતીકાલે આવશે અત્યારે આ વ્રજ ભાષામાં જે ટીકા આવી તેનો ગુજરાતીમાં અનુવાદ:-"ભૂમિભાગ્યં" આ નામનો અર્થ પ્રગટ કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રીમહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ કેવા છે તો કહે છે કે જ્યારે ભૂમિ એટલે કે પૃથ્વી દેવીનું પરમ પુણ્ય પરમ ભાગ્ય ઉદય થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય ભુતલ ઉપર પ્રગટ થાય છે તેથી ભૂમિને પુણ્યફળના ઉદય કરતા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે તે અભિપ્રાય કારણ એ છે કે ભૂમિ એ ભક્તરૂપ છે તેથી ભક્તને તો ભગવદ ધર્મ , ભગવદ ભક્તિ , ભગવદ સેવા , ભગવદ ભજન , ભૂમિને (પૃથ્વી દેવીને ) અત્યંત પ્રિય છે. અત્યાર સુધી માયાવાદી આદિ અનેક ભગવદ વિમુખ ધર્મના આચરણ કરનારા બધા પ્રગટ થયા હતા , તેથી કરીને માયાવાદીઓનો તો ખૂબ જ વિસ્તાર થઈ ગયો હતો અને ભક્તિ માર્ગ તો ઉચ્છીન્ન થઈ ગયો હતો તેથી ભૂમિ તો ભક્ત છે તો ભક્તિથી ઉચ્છીન્ન થવાથી ભૂમિ અત્યંત દુઃખી થઈ ગઈ હતી અને અસુરરૂપી માયાવાદીઓના સંબંધના ભયથી તે દુઃખી હતી , ત્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ ભૂતલ ઉપર પ્રગટ થયા અને ભૂમિના ભાગ્યનો ઉદય થયો. એ કેવી રીતે ઉદય થયો તો શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ થઈને માયાવાદી આદિ અનેક ભગવદ વિમુખવાદનું ખંડન કરી સાકાર બ્રહ્મવાદ પ્રગટ કરી સ્થાપન કરી પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરી ભગવદ ભજન ભગવદ સેવાદીક ભગવદ ધર્મ પ્રગટ કરી ભક્તિનો વિસ્તાર કર્યો તેવું કરી ભૂમિનો કલેશ પણ દૂર કર્યો અને ભાગ્યનો ઉદય પણ થયો અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણનો સંબંધ પણ પ્રાપ્ત થયો અને દૃષ્ટોના સંબંધથી અનેક દોષ થયા હતા તે બધા નાશ પામ્યા અને પરમ પવિત્રતા પ્રાપ્ત થઈ અને ભક્તના પતિ શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા તેથી ભૂમિના ભાગ્યરૂપ સૌભાગ્યરૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા તેથી ભૂમિનો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા તે પરમાનંદ હર્ષ પ્રાપ્ત થયો કે મારા ઉપર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય જેની સ્થિતિ થઈ છે આ જતાવવા માટે આ નામ પ્રગટ કર્યું તે છે ભૂમિ ભાગ્યમ હવે કહે છે કે પુષ્ટિમાર્ગીય ભક્ત તો નિષ્કામ હોય આપ દર્શન આપે છે તેમ કરી સેવકંદના ભાગ્યોના ઉદય કરવાવાળા આપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે એ જ બતાવવા માટે હવે શ્રી ગુસાઈ જઈએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નું નામ પ્રગટ કર્યું તે નામ ૧૦૭ મુ "સહજસુંદર" આ નામ ઉપર શ્રીગોકુલનાથજી રચિત ટીકા આવતી કાલે આવશે ..

સર્વોતમજી ગ્રંથ તેમાં આજે "સહજસુંદર" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે

ક્રમાંક ૧૦૬ અધિકારીએ કહ્યું કે હજી તુ સુરત નથી ગયો? વ્રજવાસીએ તે સુરતથી લાવેલા હૂંડી અને પત્રને આ

ભાગવતજીના વિડિયો ક્લિપ માં ચારે સનકાદી બાલકો દિગંબર અવસ્થામાં હતા તેથી સાધારણ જાણી તેમને રોકી લીધા

પદ્મા ના વિરહ નું ગાયું ગીત | Umesh Barot, Alpa Patel | Jadav Gadhvi Loksahitya

EILMELDUNG: Sie haben mich ins Visier genommen

GOD SAYS;- THIS HEAVENLY ALERT IS FOR YOU - OPEN... | GOD'S MESSAGE FOR YOU TODAY

💥Wave of departures! Merz is in DEEP TROUBLE now

What Happened To Lord KRISHNA After the Mahabharata? Who Killed Him?

Vandu Rukma Maatne Day 1 - Vakta - P.P. Sanjay Bhai Upadhyay | Avdhoot Darbar | 26|06|26

Kolumbien – Portugal Highlights | Gruppe K, FIFA WM 2026 | sportstudio

ઘરે આવ્યા બાં ના ભાઈ-ભાભી 🥰અને ચાલ્યા મંથન ભાઈ ની સ્કૂલ એ 🤩#vlog #dailyvlog #viral

એક વ્રજવાસી જેને શ્રીગોસાઈજીએ પરે કહેલું તે પ્રસંગ મા હવે આગળ નો પ્રસંગ..ગામમાં અધિકારી ટહલવા છે.

શ્રીનાથજી ચરીત્રમાં એક પ્રસંગ માં ત્રીપુરદાસ વૈષ્ણવ મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક શેરગઢમાં વસતા

«Der Weltkrieg kommt»: Roger Köppel am AfD-Demokratiekongress zur Lage in Europa

24. June 2026 3:30pm CET Mother Meera Meditation Wherever You Are !

A few minutes ago: Von der Leyen shuts off the air conditioning for the "common folk" in the EU b...

The Sunday Round Table with Burkhard Müller-Ullrich: Prospects for Street Fighting

Smaranajalika

Sasu-Vahu-Var Part-24 | સાસુ-વહુ-વર ભાગ-24 | Pujya Niruma

