ક્રમાંક ૧૦૬ અધિકારીએ કહ્યું કે હજી તુ સુરત નથી ગયો? વ્રજવાસીએ તે સુરતથી લાવેલા હૂંડી અને પત્રને આ
ક્રમાંક ૧૦૬ શ્રીગુસાંઇજી એ વ્રજવાસીને 'પરે' કહ્યુ તે પ્રસંગ મા આજે બે રાત્રી અને ત્રીજા દિવસે તે વ્રજવાસી ને જોયો એટલે અધિકારીએ કહ્યું કે હજી તુ સુરત નથી ગયો ત્યારે તે વ્રજવાસીએ તે સુરતથી લાવેલા હૂંડી અને પત્રને આપ્યા ત્યારે આ અધિકારીને તો ચક્રીત થઈ ગયો પછી શુ થયુ તે પ્રસંગ સાથે વીરામ .ગામમાં અધિકારી ટહલવા છે. તેમને પત્ર તથા મહાપ્રસાદ ની પછી આ વ્રજવાસીને કહ્યુ કે તુ ગામમાં જઈને પત્ર લઈ આવ ત્યાર પછી આપણે શ્રીગુસાંઈજી પાસે જઈયે. ત્યારે આ વ્રજવાસી ગામ આવી ને સેવકોને કહ્યુ કે પત્ર લાવો. ત્યારે આ સેવકોએ ગામમાં જેટલા વૈષ્ણવ હતા તે સહુને બોલાવ્યા. ત્યારે બધાજ આવ્યા. તેમને મહાપ્રસાદ આપ્યો અને પત્ર આપ્યો. અને એમને કહ્યુ કે ભૈયા હો ! આ ભેટીયાની મુગ્ધ (ભોળો ) દશા દેખાય છે અને જુઓ આ મહાપ્રસાદ અને પાન તાજા છે. અને પત્રમાં મીતી પણ કાલની જ લખી છે. અને વ્રજવાસી પણ કહે છે કે હુ ત્યાંથી કાલેજ નીકળ્યો છુ. તેથી પ્રભુની લીલા કોઈનાથી જાણી શકાય નહી. તેથી આજે એને જલ્દી વીદાય કરો તો એ જાય. ત્યારે બધા વૈષ્ણવોએ મળીને ભેટ ઉઘરાવીને ભેટની હુંડી લખાવીને હાથમાં આપી અને ૧૦/ - રૂપીયા સેવકીનાં આપવા લાગ્યા. ત્યારે વ્રજવાસીએ કહ્યુ કે આ ૧૦/- રૂપીયાનું હુ શુ કરીશ ? ત્યારે વૈષ્ણવોએ કહ્યુ કે આ તારી સેવકી છે તે તને રસ્તામાં જતા કામમાં આવશે. ત્યારે આ વ્રજવાસી કહે મારે રસ્તામાં ખર્ચા ની ક્યાં જરૂર છે ? કાલે તો હુ શ્રીગોવર્ધન જઈને ભંડારીની પાસેથી સીધુ માંગી લઈશ. ત્યારે વૈષ્ણવોએ જે રૂ ૧૦ સેવકી નીમીત્તે હતા તેની પણ હુંડી કરાવી ભેંટની હુંડી સાથે બીડી દીધી. અને શ્રીગુસાંઈજીને વીનંતી પત્ર લખ્યો તેમા બધા સમાચાર લખ્યા. કે વ્રજવાસીને સેવકીના રૂપીયા દસ આપતા હતા પણ આતો ભોળો છે તેથી એણે લીધા નહી. તેથી એની પણ હુંડી કરીને સાથે બીડી છે તો તે દસ રૂપીયાની હુંડીનું આપને જે ઠીક લાગે તેમ કરશો. ત્યારે આ વ્રજવાસી પત્ર અને હુંડી લઈને શ્રીનાથજીની પાસે આવ્યો. ત્યારે શ્રીગોવર્ધનનાથજી એ આ વ્રજવાસીને કહ્યુ કે અરે ભૈયા ! આજે આપણે બહુજ જમ્યા છીયે. તેથી મારાથી તો ચલાશે નહી. તેથી હવે અહીંયા જ સુઈ જઈએ. સવારે શ્રીગુસાંઈજી પાસે જઈશુ ત્યારે વ્રજવાસી ત્યાંજ સુઈ ગયો. અને શ્રીનાથજી આપ તો મંદીરે પધાર્યા પછી બીજા દીવસે સવાર થઈ ત્યારે શ્રીનાથજી અપસરા કુંડ પધાર્યા અને આ વ્રજવાસીને જગાડ્યો . ત્યારે શ્રીનાથજીએ કહ્યુ અરે ભૈયા ! તુ જલ્દી અધીકારીને પત્ર આપી ભંડારી પાસેથી બે સીધા લઈ જલદી બીલછુ કુંડ પર રસોઈ કર. ત્યારે આ વ્રજવાસી મંદીર ગયો ત્યારે કોઈ માણસે અધીકારી પાસે જઈને કીધુ કે પેલો વ્રજવાસી હજી સુરત ગયો નથી. ત્યારે અધીકારી એ આ વ્રજવાસીને બોલાવીને કહ્યુ કે અરે ! સુરત ગયો નહી ? ત્યારે વ્રજવાસીએ સુરતથી પત્ર લાવ્યો હતો તે એમના હાથમાં મુક્યો. ત્યારે આ અધીકારી પત્ર જોઈને ભ્રમીત થઈ ગયો. અને મનમાં વીચારવા લાગ્યો કે એક દીવસમાં સુરત જઈને કેવી રીતે પાછો આવી ગયો ? વીચાર આવ્યો કે કદાચ જાતેજ બનાવટી પત્ર લખીને લાવ્યો હશે એ જાણી પત્ર ખોલીને જોયુ તો અંદર હુંડી પણ હતી. ત્યારે અધીકારીએ શ્રીગુસાંઈજીને વીનંતી કરી કે મહારાજ ! અમુક વ્રજવાસીને સુરત મોકલ્યો હતો, તે પત્ર અને હુંડી લઈને ત્રીજે દીવસે તો પાછો પણ આવી ગયો. ત્યારે શ્રીગુસાંઈજીએ પત્ર વાંચી ને જોયુ કે તેમાં વૈષ્ણવોના સમાચાર લખ્યા હતા તે જાણ્યા ત્યારે આ વ્રજવાસીને શ્રીગુસાંઈજીએ બોલાવીને બધી વાત પુછી. ત્યારે આ વ્રજવાસી એ કહ્યુ કે જુઓ અરે ભૈયા વિઠલનાથ ! તમે મારી વાત નહી માનો તેથી તમારા પરે નેજ પુછીલો . એ મારી સાથે આવ્યો હતો. ત્યારે શ્રીગુસાંઈજીએ વ્રજવાસીને પુછ્યું કે જો અરે ભૈયા ! પરે કોણ છે? ત્યારે વ્રજવાસીએ કીધુ કે પેલે દીવસે મે તમને મારા ઠાકોરજીનું નામ પૂછેલું ત્યારે આપની ગાદી ઉપર ચઢવા ગયેલો ત્યારે આપેજ મારા ઠાકોરજીનું નામ પરે કહેલુ એ પરે કાયમ બીલછુકુંડ પર મારી સાથે રમે છે અને મારા હાથની દાળ રોટલી સદાય ખાય છે. ત્યારે શ્રીગુસાંઈજી મંદીરમાં પધાર્યા અને શ્રીનાથજીનાં ગાલ ઉપર આપનો શ્રી હસ્ત ફેરવીને પુછ્યુ કે બાબા ! અમુક વૈષ્ણવની સાથે તમે સુરત ગયા હતા? ત્યારે શ્રીનાથજી કહે હું શુ કરુ ? એને તો આપના વચન પર વીશ્વાસ આવી ગયો છે. તે દીવસથી હું તેની સાથે રહુ છું ત્યારે શ્રીગુસાંઈજીએ શ્રીનાથજીને વીનંતી કરી કે જો આજ્ઞા હોય તો એની પાતળ બાંધી દઉ. ત્યારે શ્રીનાથજી કહે એનેજ પુછો. એને જેમ ગમતુ હોય તેમ કરો. ત્યારે શ્રીગુસાંઈજી એ વ્રજવાસીને પુછ્યુ કે અરે ભૈયા ! તને પાતળ રોજ મળે એવું કરી દઉ ? હું તો તમારી પાતળ બાતળ કંઈ સમજુ નહી. જો મને તમે સીધા આપશો તો તમારા પરેને રસોઈ કરી દઈશ. ત્યારે શ્રીગુસાંઈજીએ શ્રીનાથજીનાં ખાસા ભંડારી ને બોલાવીને આજ્ઞા કરી , આજથી આ વ્રજવાસી ને બે સીધા ખાસા માંથી આપજો. તે દીવસથી તે બે સીધા ખાસા ભંડાર માંથી લઈ જતો અને બીલછુ કુંડ પર જઈને રસોઈ કરતો ત્યાં શ્રીનાથજી આરોગવા માટે પધારતા તો શ્રીગુસાંઈજી શ્રીનાથજી એની ઉપર આવી કૃપા નિત્ય કરતા હાસ્ય મજાક કરતા પ્રસન્ન રહેતા. તો આ વ્રજવાસી શ્રીગુસાંઈજીનો આવો પરમકૃપાપત્ર ભગવદીય હતો . તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીયે ?

એક વ્રજવાસી જેને શ્રીગોસાઈજીએ પરે કહેલું તે પ્રસંગ મા હવે આગળ નો પ્રસંગ..ગામમાં અધિકારી ટહલવા છે.

ભાગવત મા વિડિઓ ક્લિપ માં આગળ નો પ્રસંગ ત્યારે કશ્યપજીએ કહ્યુ કે ગૃહસ્થાશ્રમી ની ફરજ છે કે પોતાની

Timur Soykan: Things in the Palace are actually more complicated than they seem! | Nobody else wi...

Will there be a Global Reset? | ISI in Bangladesh | Pakistan IWT | Lt Gen DP Pandey, Gen PR Shankar

Pakistan vs India: Why Pakistan Dominates Every Front? | Operation Sindoor | Latest Analysis

EILMELDUNG: Sie haben mich ins Visier genommen

જો તમારા છોકારાUK🇬🇧લંડન માં છે?તો આ વિડિઓ જુવો#travel #indian #worldtravelhindi #uk

THEY CAN MAKE AS MUCH NOISE AS THEY WANT, IT’S JUST NOT ENOUGH!

Calm Seaside Night Escape 🌊🔥 Fireplace Crackles, Ocean Waves and Calm Sleep Sounds

શાંતિનિકેતનઃ અમેરિકામાં ભારતીય સિનિઅર સિટિઝનની Retirement Community વસાહત Ramesh Tanna Navi Savar

FATIHA 7X AYATUL KURSI 7X KAFIRUN 7X IKHLAS 7X FALAQ 7X NAS

સર્વોતમજી ગ્રંથ "ભૂમિભાગ્યં" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે,

શ્રીનાથજી ચરિત્ર એક દિવસ રામદાસ મુખીયાજી શ્રીનાથજીના શ્રુંગાર કરી રહેલા ત્યારે પ્રભુ શ્રીનાથજી બાવાએ

«Der Weltkrieg kommt»: Roger Köppel am AfD-Demokratiekongress zur Lage in Europa

ભાગવતજીના વિડિયો ક્લિપ માં ચારે સનકાદી બાલકો દિગંબર અવસ્થામાં હતા તેથી સાધારણ જાણી તેમને રોકી લીધા

"એકાદશી સત્સંગ",

UK🇬🇧લંડન મા PM બદલાઈ ગયા,પછી આગળ શુ...?UK🇬🇧લંડન માં ખરેખર ઇમિગ્રેશન નિયમો બદલાઇ જશે?#1million #news

A few minutes ago: Von der Leyen shuts off the air conditioning for the "common folk" in the EU b...

360 stepeni: Nikola Kojo

