રતન ખચિત કંચન મહા , શ્રીવૃન્દાવન કી ભુમી l કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે, ફ્લ ફુલન કરી ઝુમી ||૮૦||
શ્રીવલ્લભ સાખી - સાખી ક્રમાંક - ૮૦ રતન ખચિત કંચન મહા , શ્રીવૃન્દાવન કી ભુમી l કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે, ફ્લ ફુલન કરી ઝુમી ||૮૦|| અનુવાદ - શ્રી વ્રન્દાવનની ભૂમિ રત્નો તથા સુર્વણ થી મંડિત છે. (વ્યાપ્ત છે. ) જ્યાં કલ્પ વૃક્ષ સમાન દ્રુમ (એટલે કલ્પવૃક્ષ જેવા તો અનેક વૃક્ષ ) ના દર્શન થઈ રહ્યા છે. તથા લતા, વેલી તથા છોડ પર વીવીધ રંગબેરંગી મહેકતા ફુલ તથા વીધ વીધ ફળો લચી રહ્યા છે તેવા દર્શન શ્રીહરિરાયજી ને થઈ રહ્યા છે. ||૮૦|| સાખીનો ભાવાર્થ - આધી દૈવિક વૃન્દાવન ની શોભાનું વર્ણનશ્રીહરિરાયજી એ આ સાખીમાં કર્યુ છે આધી દૈવિક વુન્દાવન નુ વર્ણન જે ગર્ગ સંહીતામાં ગોલોક ખંડમાં ૧૬ માં અધ્યાયમાં ૧૧ માં શ્લોકથી આવે છે તેનો અનુવાદ ) જેવા રાધાજી ભાંડીર વનમાં આવ્યા તે ક્ષણે ગોલોક માં જે દિવ્ય રૂપે વુન્દાવન ભુમી બીરાજી રહી છે તે રૂપ અહીયા પણ પ્રગટ કરી દીધું , જેવી રીતે ગોલોક ધામમાં પદ્મરાગ મણીઓ થી જડેલી, સુવર્ણમયી ભુમી શોભા પામે છે , એવી રીતે જ આ ભુતલ પર વ્રજ મંડલ માં, એવીજ દીવ્ય ભૂમિનો તત્ક્ષણ આર્વીભાવ થઈ ગયો, વ્રન્દાવન ઇચ્છા પુરી કરનારા (કલ્પવૃક્ષ સમાન ) વૃક્ષો થી શોભાયમાન થવા લાગ્યું . તે વખતે શ્રીયમુનાજીના કિનારે સુવર્ણના બનેલા મહેલો, તથા સુન્દર રત્નમય સોપાન એટલે રત્નમય પગથીયા , સીડી , ના દર્શન થવા લાગ્યા. એ વખતે વુન્દાવની નીકુંજે પણ પોતાનું દિવ્ય રૂપ પ્રક્ટ કર્યું , તેમાં સભાભવન, પ્રાંગણ તથા દિવ્ય મંડપ શોભા પામવા લાગ્યા. મધુપો ( ભમરા ), મયુરો (મોર) , કપોતોં ( પારેવુ, હોલા જેવા પંખી ) તથા કોકીલો (કોયલો) , ના કલરવ સંભળાવવા લાગ્યા. નીકુંજ વર્તી દિવ્ય મંડપોના શીખર, સુવર્ણ તથા રત્નોથી ખચીત કળશોથી અલંકૃત હતા. તે વખતે એકાએક અને બાલકૃષ્ણ પણ બાળ સ્વરૂપ માંથી કિશોર અવસ્થાનો દીવ્ય દેહ ધારણ કરી રાધાજીની સામે ઉભા રહ્યા.અંગ પર પીતાંબર, હાથમાં વાંસણી, કરોડો કામદેવને મોહીત કરનાર રૂપ હતુ. હસતા હસતા પ્રિયતમા નો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને ભાંડીર વટવૃક્ષ પાસે જ્યાં દીવ્ય વીવાહ મંડપ તૈયાર હતો ત્યાં પ્રવેશ કર્યો જ્યાં વિવાહને લગતી બધી સામગ્રી રાખેલી હતી. મેખલા, કુશા , સપ્તમુતીકા, જળથી ભરેલા કળશ, પધરાવેલા હતા અને ત્યાંજ એક સીંહાસન પણ પ્રગટ થયું. ત્યાં બંને પ્રિયા પ્રિયમત બીરાજ્યા અને એક બીજાની સાથે મીઠી મીઠી વાતો કરી રહ્યા છે.ત્યાંજ બ્રહ્માજી આકાશથી નીચે ઉતર્યા, યુગલ ચરણોમાં પ્રણામ કરી સ્તુતી કરી. કે હે ગોલોકના સ્વામી શ્રીકૃષ્ણ અને આપની પ્રાણ વલ્લભા શ્રી રાધાજી નું હું શરણ લઉં છુ અને ત્યાર પછી કુંડમાં અગ્ની પ્રજ્વલીત કર્યો અને વૈદીક વીધી વીધાન થી પાણી ગ્રહણ સંસ્કારની વીધી પુરી કરી.ત્યારબાદ કૃષ્ણ અને રાધીકાજીને અગ્નીની સાક્ષીએ સાત પરીકમ્મા કરાવી, અને સાત મંત્રોના ઉચ્ચાર કરાવ્યા.ત્યાર પછી કૃષ્ણના વક્ષ:સ્થલ પર શ્રી રાધીકાજીનો હાથ મુકાવીને અને શ્રીકૃષ્ણનો હાથ રાધાજીના પીઠ ઉપર મુકાવીને, મન્ત્રોના ઉચ્ચસ્વરથી પાઠ કરાવ્યા, રાધાના હાથેથી એક કેસર યુક્ત માળા કૃષ્ણના કંઠમાં પહેરાવડાવી, સામે કૃષ્ણ ભગવાને રાધાજીના ગળામાં માળા પહેરવી, પછી અગ્ની દેવને પ્રણામ કરાવી, સુંદર સીંહાસન ઉપર દંપતીને બેસાડ્યા પછી પાંચ મંત્ર બોલાવી, જેમ પીતા પુત્રીનું કન્યાદાન સમયે હાથ સોંપે એમ રાધાજીનો હાથ કૃષ્ણના હાથમાં સોંપી દીધો. ગર્ગ સંહીતા માં આગળ બહુજ સુંદર લીલા પ્રસંગ આવે છે પણ તે ભાગવતજી ના વીરામ પછી ગર્ગ સંહિતા નો લાભ પ્રાપ્ત કરીશુ ત્યારે તે લીલા નું વર્ણન વિસ્તાર થી આવશે , અહિયા તો આધી દૈવિક વ્રન્દાવન ના દર્શન નો મુખ્ય ભાવ છે. તેથી આટલો પ્રસંગ લીધો છે, તેથી જ શ્રીહરીરાયજી કહે છે કે "રતન ખચિત કંચન મહા , શ્રીવૃન્દાવન કી ભુમી l કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે, ફ્લ ફુલન કરી ઝુમી "

ક્રમાંક ૧૦૬ અધિકારીએ કહ્યું કે હજી તુ સુરત નથી ગયો? વ્રજવાસીએ તે સુરતથી લાવેલા હૂંડી અને પત્રને આ

ભાગવતજીના વિડિયો ક્લિપ માં ચારે સનકાદી બાલકો દિગંબર અવસ્થામાં હતા તેથી સાધારણ જાણી તેમને રોકી લીધા

સર્વોતમજી ગ્રંથ તેમાં આજે "સહજસુંદર" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે

નિત્ય સાંભળો શ્રીરામ દ્વારા કહેવાયેલ શ્રી હનુમાન કવચ | Shree Hanuman Kavach | Kavach In Gujarati |

360 stepeni: Nikola Kojo

432Hz + 963Hz + 528Hz + 741Hz | The Deepest Healing: Whole Body Regeneration - Alpha Wave20

GOD SAYS;- THIS HEAVENLY ALERT IS FOR YOU - OPEN... | GOD'S MESSAGE FOR YOU TODAY

બ્રહ્મસંબંધમંત્રનું અનુસંધાન-ધોળ-"જંકશન સ્ટેશન માનવદેહ છે સ્વર્ગ નર્ક મોક્ષે અહીંથી જવાય છે રે,ધામનો

EILMELDUNG: Sie haben mich ins Visier genommen

શાંતિનિકેતનઃ અમેરિકામાં ભારતીય સિનિઅર સિટિઝનની Retirement Community વસાહત Ramesh Tanna Navi Savar

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-૮ | શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી દ્વારકાધીશજી હવેલી કાંદિવલી, મુંબઈ

એક વ્રજવાસી જેને શ્રીગોસાઈજીએ પરે કહેલું તે પ્રસંગ મા હવે આગળ નો પ્રસંગ..ગામમાં અધિકારી ટહલવા છે.

Will there be a Global Reset? | ISI in Bangladesh | Pakistan IWT | Lt Gen DP Pandey, Gen PR Shankar

શ્રીનાથજી ચરિત્ર એક દિવસ રામદાસ મુખીયાજી શ્રીનાથજીના શ્રુંગાર કરી રહેલા ત્યારે પ્રભુ શ્રીનાથજી બાવાએ

THEY CAN MAKE AS MUCH NOISE AS THEY WANT, IT’S JUST NOT ENOUGH!

The Biggest Lie About Capitalism | Mariana Mazzucato interview

Seeds of Growth (1111hz) | 1 hour handpan music | Malte Marten

Vallabh Sakhi वल्लभ साखी Full with Lyrics | Shrinathji Bhajan | Gujarati Bhajan | Pushtimarg Kirtan

This plan has long been running in the background... | Tom Regenauer

