Swaminarayan Bhaktchintamani Nilkanthvarni Letter To Ramanand Swami

નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ; એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજ્યો અમારી. ૮ કોસળ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી; પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રકટ મળે એહ અર્થે. ૯ એમ કરતાં આવ્યો લોજ આંઈ, રહ્યો છું તમારા સંત માંઈ; કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરું આગ્રહ તે કહું મહારાજ. ૧૦ તપ કરું છું કઠણ તને, નથી મોળો હું પડતો મને; ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ. ૧૧ વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ; વળી એ માસમાં કોઈ સમે, કરું કૃછવ્રતને તે અમે. ૧૨ ત્યાર પછી માઘ માસમાંય, કરું પારકકૃછ કહેવાય; ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું હું સઈ. ૧૩ કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ; પંચવિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી. ૧૪ તેણે કરીને શરીર માંઈ, લોહી માંસ ગયું છે સુકાઈ; પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત. ૧૫ કૃષ્ણદ્રશ્ન આશા સુધા વેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ; નહિ તો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ. ૧૬ તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન; કળી યુગે અન્ન સમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ. ૧૭ માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા; વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું. ૧૮ તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ; નથી પડતાં તે કઠણ કાંઈ, તે તો પ્રભુ તમારી કૃપાઈ. ૧૯ એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજ્યો મારે માથે મહેર આણી; મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરુ કૃષ્ણ કૈયે. ૨૦ તેહ કૃષ્ણ વિષે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ; તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી. ૨૧ તે વિના પંચવિષય દેનાર, વા હોય સંબંધી નરનાર; તેને નોય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરીની રીત્ય. ૨૨ તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે; આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહી કાંઈ ખોટે. ૨૩ જુવો વિભિષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત; તજી વિદૂરે કુળની વિધિ, ઋષિ પત્નીએ તજ્યાં સંબંધી. ૨૪ ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેનરાજા અંગ; તજ્યો પ્રહ્‍લાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી. ૨૫ તેની અપકીર્તિ નવ્ય થઈ, સામું કીર્તિ શાસ્ત્ર માંહિ કઈ; માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યાં પ્રહરી. ૨૬ માટે કૃષ્ણભક્ત મને વહાલા, બીજા સર્વ લાગ્યા છે નમાલા; જેને તમારા જનશું નેહ, તેજ પામ્યા છે મનુષ્ય દેહ. ૨૭ બીજા જીવ છે પશુ સમાન, જેને વિષય સંબંધિ છે જ્ઞાન; તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારું છું હું મનથી. ૨૮ મનુષ્ય દેહને ઇચ્છે છે દેવ, જે પામી ન કરી હરિસેવ; તે તો પશુ પૂછશિંગ હીણ, મર હોય ગુણી પરવીણ. ૨૯ કૂળ કીર્તિ રૂડા ગુણ રૂપ, હોય ઐશ્વર્યે કરી અનુપ; તે તો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઇન્દ્રામણું. ૩૦ સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જ્યારે; કૃષ્ણભક્તિ હીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય. ૩૧ ભક્તિ હીણ બ્રહ્મલોક જાય, તો પણ કાળ થકી ન મુકાય; ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિ વિમુખ. ૩૨ માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ; શિવ બ્રહ્મા ઇન્દ્ર શુકાદેલિ, કરે છે ભક્તિ માનને મેલી. ૩૩ જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ; રાધા આદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર. ૩૪ અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે; બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળચવિણો. ૩૫ એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું; માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે. ૩૬ તે તો કૃષ્ણ પ્રસન્ન થાવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ; પામશે ચિત્ત નિરાંત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે. ૩૭ માટે સંત વચને બંધાઈ, રહ્યો છું તમારા સાધુ માંઈ; વળી જોઉં છું તમારી વાટ, અતિ વિરહમાં કરું છું ઉચાટ. ૩૮ કૃષ્ણ કીર્તિ વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન; નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી. ૩૯ વળી સુગંધી પુષ્પની માળ, તે તો લાગે છે કંઠમાં વ્યાળ; ચંદન કેસર ને કુંકુમ, તે લેપન લાગે પંક સમ. ૪૦ કૃષ્ણ વિષે રહ્યું મારું મન, રહેવું પ્રાસાદે લાગે છે વન; ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પ સમ મને તેહ. ૪૧ નાના પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન; વળી જે જે વસ્તુ સુખકારી, તે સર્વે મને થઈ છે ખારી. ૪૨ કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજ્યો સંદેશો વહેલો; તમારું દર્શન જ્યારે થાશે, ત્યારે સર્વે દુઃખ મારાં જાશે. ૪૩ માટે કૃપા કરી દર્શન દેજ્યો, વિરહાબ્ધિમાં બૂડ્યાં બાંયે ગ્રેજ્યો; જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં વર્ણીએ વચન. ૪૪

Swaminarayan Harismruti Jamta Joya Che by Nishkulanand Swami
▶︎

Swaminarayan Harismruti Jamta Joya Che by Nishkulanand Swami

Swaminarayan bhaktchintamani Muktanand swami writes letter to Ramanand swami
▶︎

Swaminarayan bhaktchintamani Muktanand swami writes letter to Ramanand swami

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha
▶︎

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha

SSC3 - Hindi - Ghanshyam and the Aura of Ayodhya: Shri Swaminarayan Charitra - Pt 3
▶︎

SSC3 - Hindi - Ghanshyam and the Aura of Ayodhya: Shri Swaminarayan Charitra - Pt 3

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કોણે નાંખ્યો? | ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી જીવનચરિત્ર | Farenidham
▶︎

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કોણે નાંખ્યો? | ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી જીવનચરિત્ર | Farenidham

Aj Mare Orde Re - Sajni Sambhalo Re - Bolya Shrihari Re - Vali Sahu Sambhalo Re
▶︎

Aj Mare Orde Re - Sajni Sambhalo Re - Bolya Shrihari Re - Vali Sahu Sambhalo Re

ગમ્મત સાથે જ્ઞાન ભક્તચિંતામણી ભાગ-૧ | પૂ.જનમંગલ સ્વામી | Baps New Katha | New Katha | Baps Katha
▶︎

ગમ્મત સાથે જ્ઞાન ભક્તચિંતામણી ભાગ-૧ | પૂ.જનમંગલ સ્વામી | Baps New Katha | New Katha | Baps Katha

શ્રી નારાયણમુનિ દેવ મહિલા પાઠશાળા-સુરત  તા.28/06/26 ને રવિવાર સમય:-3:00 થી 6:00
▶︎

શ્રી નારાયણમુનિ દેવ મહિલા પાઠશાળા-સુરત તા.28/06/26 ને રવિવાર સમય:-3:00 થી 6:00

"ભજ ગોવિન્દમ" ભજન *શંકરાચાર્ય રચિત*     ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના સ્વર માં ...
▶︎

"ભજ ગોવિન્દમ" ભજન *શંકરાચાર્ય રચિત* ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના સ્વર માં ...

Sacha Sant Na Ang Edhan Re
▶︎

Sacha Sant Na Ang Edhan Re

Gujarati - Aksharanand: The Inspiring Life of Aksharbrahman Gunatitanand Swami
▶︎

Gujarati - Aksharanand: The Inspiring Life of Aksharbrahman Gunatitanand Swami

Swaminarayan Harismruti Bhudar Bhalya Che by Nishkulanand Swami
▶︎

Swaminarayan Harismruti Bhudar Bhalya Che by Nishkulanand Swami

SSC6 - Hindi - Neelkanth and the Secrets Beyond Yoga: Shri Swaminarayan Charitra - Pt 6
▶︎

SSC6 - Hindi - Neelkanth and the Secrets Beyond Yoga: Shri Swaminarayan Charitra - Pt 6

Hari Bhajatā Sau
▶︎

Hari Bhajatā Sau

Swaminarayan Purushotam Prakash Purushotam Pragati re
▶︎

Swaminarayan Purushotam Prakash Purushotam Pragati re

Swaminarayan bhaktchintamani himalaya meets nilkanthvarni
▶︎

Swaminarayan bhaktchintamani himalaya meets nilkanthvarni

નારાયણ માહોલની લીલા -1 l Vadtallila katha l E- 107 l Pu Mangal Swami #gurukul #swaminarayan #katha
▶︎

નારાયણ માહોલની લીલા -1 l Vadtallila katha l E- 107 l Pu Mangal Swami #gurukul #swaminarayan #katha

Shantipath || Bhaktchintamani || Hamukh Patadiya || Jazz Music Swaminarayan
▶︎

Shantipath || Bhaktchintamani || Hamukh Patadiya || Jazz Music Swaminarayan

Swaminarayan Stotram Non Stop || Mangal Stavan
▶︎

Swaminarayan Stotram Non Stop || Mangal Stavan

Harismruti || Nishkulanand Swami Kavya || Audio Book
▶︎

Harismruti || Nishkulanand Swami Kavya || Audio Book