Swaminarayan Bhaktchintamani Nilkanthvarni Letter To Ramanand Swami
નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ; એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજ્યો અમારી. ૮ કોસળ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી; પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રકટ મળે એહ અર્થે. ૯ એમ કરતાં આવ્યો લોજ આંઈ, રહ્યો છું તમારા સંત માંઈ; કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરું આગ્રહ તે કહું મહારાજ. ૧૦ તપ કરું છું કઠણ તને, નથી મોળો હું પડતો મને; ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ. ૧૧ વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ; વળી એ માસમાં કોઈ સમે, કરું કૃછવ્રતને તે અમે. ૧૨ ત્યાર પછી માઘ માસમાંય, કરું પારકકૃછ કહેવાય; ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું હું સઈ. ૧૩ કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ; પંચવિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી. ૧૪ તેણે કરીને શરીર માંઈ, લોહી માંસ ગયું છે સુકાઈ; પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત. ૧૫ કૃષ્ણદ્રશ્ન આશા સુધા વેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ; નહિ તો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ. ૧૬ તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન; કળી યુગે અન્ન સમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ. ૧૭ માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા; વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું. ૧૮ તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ; નથી પડતાં તે કઠણ કાંઈ, તે તો પ્રભુ તમારી કૃપાઈ. ૧૯ એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજ્યો મારે માથે મહેર આણી; મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરુ કૃષ્ણ કૈયે. ૨૦ તેહ કૃષ્ણ વિષે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ; તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી. ૨૧ તે વિના પંચવિષય દેનાર, વા હોય સંબંધી નરનાર; તેને નોય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરીની રીત્ય. ૨૨ તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે; આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહી કાંઈ ખોટે. ૨૩ જુવો વિભિષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત; તજી વિદૂરે કુળની વિધિ, ઋષિ પત્નીએ તજ્યાં સંબંધી. ૨૪ ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેનરાજા અંગ; તજ્યો પ્રહ્લાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી. ૨૫ તેની અપકીર્તિ નવ્ય થઈ, સામું કીર્તિ શાસ્ત્ર માંહિ કઈ; માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યાં પ્રહરી. ૨૬ માટે કૃષ્ણભક્ત મને વહાલા, બીજા સર્વ લાગ્યા છે નમાલા; જેને તમારા જનશું નેહ, તેજ પામ્યા છે મનુષ્ય દેહ. ૨૭ બીજા જીવ છે પશુ સમાન, જેને વિષય સંબંધિ છે જ્ઞાન; તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારું છું હું મનથી. ૨૮ મનુષ્ય દેહને ઇચ્છે છે દેવ, જે પામી ન કરી હરિસેવ; તે તો પશુ પૂછશિંગ હીણ, મર હોય ગુણી પરવીણ. ૨૯ કૂળ કીર્તિ રૂડા ગુણ રૂપ, હોય ઐશ્વર્યે કરી અનુપ; તે તો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઇન્દ્રામણું. ૩૦ સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જ્યારે; કૃષ્ણભક્તિ હીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય. ૩૧ ભક્તિ હીણ બ્રહ્મલોક જાય, તો પણ કાળ થકી ન મુકાય; ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિ વિમુખ. ૩૨ માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ; શિવ બ્રહ્મા ઇન્દ્ર શુકાદેલિ, કરે છે ભક્તિ માનને મેલી. ૩૩ જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ; રાધા આદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર. ૩૪ અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે; બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળચવિણો. ૩૫ એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું; માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે. ૩૬ તે તો કૃષ્ણ પ્રસન્ન થાવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ; પામશે ચિત્ત નિરાંત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે. ૩૭ માટે સંત વચને બંધાઈ, રહ્યો છું તમારા સાધુ માંઈ; વળી જોઉં છું તમારી વાટ, અતિ વિરહમાં કરું છું ઉચાટ. ૩૮ કૃષ્ણ કીર્તિ વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન; નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી. ૩૯ વળી સુગંધી પુષ્પની માળ, તે તો લાગે છે કંઠમાં વ્યાળ; ચંદન કેસર ને કુંકુમ, તે લેપન લાગે પંક સમ. ૪૦ કૃષ્ણ વિષે રહ્યું મારું મન, રહેવું પ્રાસાદે લાગે છે વન; ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પ સમ મને તેહ. ૪૧ નાના પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન; વળી જે જે વસ્તુ સુખકારી, તે સર્વે મને થઈ છે ખારી. ૪૨ કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજ્યો સંદેશો વહેલો; તમારું દર્શન જ્યારે થાશે, ત્યારે સર્વે દુઃખ મારાં જાશે. ૪૩ માટે કૃપા કરી દર્શન દેજ્યો, વિરહાબ્ધિમાં બૂડ્યાં બાંયે ગ્રેજ્યો; જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં વર્ણીએ વચન. ૪૪

Swaminarayan Harismruti Jamta Joya Che by Nishkulanand Swami

Swaminarayan bhaktchintamani Muktanand swami writes letter to Ramanand swami

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha

SSC3 - Hindi - Ghanshyam and the Aura of Ayodhya: Shri Swaminarayan Charitra - Pt 3

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કોણે નાંખ્યો? | ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી જીવનચરિત્ર | Farenidham

Aj Mare Orde Re - Sajni Sambhalo Re - Bolya Shrihari Re - Vali Sahu Sambhalo Re

ગમ્મત સાથે જ્ઞાન ભક્તચિંતામણી ભાગ-૧ | પૂ.જનમંગલ સ્વામી | Baps New Katha | New Katha | Baps Katha

શ્રી નારાયણમુનિ દેવ મહિલા પાઠશાળા-સુરત તા.28/06/26 ને રવિવાર સમય:-3:00 થી 6:00

"ભજ ગોવિન્દમ" ભજન *શંકરાચાર્ય રચિત* ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના સ્વર માં ...

Sacha Sant Na Ang Edhan Re

Gujarati - Aksharanand: The Inspiring Life of Aksharbrahman Gunatitanand Swami

Swaminarayan Harismruti Bhudar Bhalya Che by Nishkulanand Swami

SSC6 - Hindi - Neelkanth and the Secrets Beyond Yoga: Shri Swaminarayan Charitra - Pt 6

Hari Bhajatā Sau

Swaminarayan Purushotam Prakash Purushotam Pragati re

Swaminarayan bhaktchintamani himalaya meets nilkanthvarni

નારાયણ માહોલની લીલા -1 l Vadtallila katha l E- 107 l Pu Mangal Swami #gurukul #swaminarayan #katha

Shantipath || Bhaktchintamani || Hamukh Patadiya || Jazz Music Swaminarayan

Swaminarayan Stotram Non Stop || Mangal Stavan

