નડિયાદ: ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧ હજાર પોષણ કીટનું મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે વિતરણ..
નડિયાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે 1 હજાર પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “ટીબી મુક્ત ભારત અભિયાન”ને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે. સરકાર સાથે સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોના સહયોગથી ટીબીમુક્ત ભારતનું લક્ષ્ય વધુ ઝડપથી હાંસલ કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે ટીબીના દર્દીઓ માટે દવા સાથે પોષણયુક્ત આહાર પણ એટલો જ જરૂરી છે અને પોષણ કીટ દર્દીઓના ઝડપી આરોગ્યલાભ માટે સંજીવની સમાન સાબિત થશે. ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સીએસઆર હેઠળ બે સંસ્થાઓ આગામી છ માસ સુધી જિલ્લાના ક્ષય દર્દીઓને પોષણ સહાય પૂરી પાડશે. દર્દીઓએ નિયમિત સારવાર લેવાની સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ જેથી ટીબીમુક્ત સમાજનું સ્વપ્ન સાકાર થઈ શકે.જાહેર હિસાબ સમિતિના ચેરમેન તથા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આરોગ્ય કર્મચારીઓને દરેક પાત્ર દર્દી સુધી પોષણ કીટ પહોંચાડવાની અપીલ કરી હતી. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ આ સેવાકીય કાર્યને બિરદાવી સૌને ટીબીમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકાર દવા અને નાણાકીય સહાય પૂરી પાડે છે, પરંતુ પોષણયુક્ત આહાર પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તેમણે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આગામી છ માસ સુધી 1 હજાર પોષણ કીટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ગ્રેનફ્યુઅલ ડિસ્ટિલરીઝ પ્રા.લિ. દ્વારા માતર તાલુકાના 10 ગામોને ક્ષયમુક્ત બનાવવા માટે અપાયેલા સહયોગની પણ પ્રશંસા કરી હતી.જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દિનેશ બારોટે જણાવ્યું હતું કે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 1 હજાર દર્દીઓને આગામી છ માસ સુધી દર મહિને 9 કિલોની પોષણ કીટ આપવામાં આવશે, જેના માટે અંદાજિત માસિક ખર્ચ રૂ. 60 લાખ થશે.કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતા, જ્યારે સાંસદ દેવુસિંહ ચૌહાણે ગ્રેનફ્યુઅલ ડિસ્ટિલરીઝ પ્રા.લિ.ના પ્રતિનિધિઓનું સન્માન કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવો અને નિક્ષય મિત્રોના હસ્તે દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, દાતાશ્રીઓ, નિક્ષય મિત્રો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

How Dubai Built the $1B Impossible Burj Al Arab on Open Water

Was Kashmir Sardar Patel's Failure? | Junagadh, Hyderabad Reality, Gandhi, Nehru, Kashmir & Pakistan

Hun To Bolish | હું તો બોલીશ | આગાહી પર પૂર્ણવિરામ કેમ ? | abp Asmita

પત્રકારોની Jamawat|Ronak Patelને સુરતની સ્થિતિ જોઈને ગુસ્સો આવ્યો ,અધિકારીઓના સેટિંગ પર ખુલ્લી વાત

Claim passport only travel document serious mistake and govt should apologize: Justice Madan Lokur

Nadiad Demolition | નડિયાદમાં હાથ ધરાયું મેગા ડિમોલિશન, 46 દુકાનો પર ફરી વળ્યું બુલ્ડોઝર

Mr Beans Zahnarztprobleme | Mr Bean Deutschland

What makes you an Indian citizen?

India Losing Respect Globally? | Modi’s Vishwaguru Dream Gets A Harsh Reality Check | Akash Banerjee

નડિયાદનું સર્વ પ્રથમ અન્નક્ષેત્ર| 😱 2500 લોકો અહીંયા જમે સંતરામ મહારાજની કૃપાથી by foodieeguru

China’s Silent Invasion? | India Losing Land In Arunachal? | Govt Says All Is Well | Akash Banerjee

Botad News: જર્જરિત શાળામાં જીવના જોખમે શિક્ષણ! વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટું જોખમ | Gujarat News

Modi Does Math & Your Car Pays the Price for E20 | TV Newsance 347

Mayabhai Ahir ની ગરીબોના ટેક્સ વાળી વાત પર Jagdish Mehtaએ જોરદાર વાત કરી! | Swaraj

દવાખાનાના પગથિયાં નહીં ચડવા પડે | આરોગ્ય ના ત્રણ નિયમો | સ્વાનંદ પરિવાર ||

कॉरपोरेट कल्चर के रास्ते पर चल पड़ी है भाजपा #EP3319 #apkaakhbar #politics #pradeepsinghanalysis

નડિયાદ: ઠાસરા તાલુકાના ૧૦૦થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો...

When Animals Surprise Photographers in the Sweetest Way! 😍

Hemant Atri on How Modi Draws Massive Crowds on Foreign Soil: Paid Optics or Real Fans?

