UDGHATAN MAHOTSAV | UNA GURUKUL | SHREE SWAMINARAYAN GURUKUL | 28 JUNE 2026
ઉદ્ધાટન - પ્રવેશોત્સવ તા.28-6-2026 રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળની ૬૮મી શાખાનું ઉનામાં ઉદઘાટન 16 મહિનામાં સવા લાખ ફૂટનું બાંધકામ સંતો, યુવાનોએ પૂર્ણ કર્યું. 110 વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉના તા. 29, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા ખાતે ઉના ગીર ગઢડા રોડ ઉપર બાયપાસથી દોઢ કિલોમીટર દૂર દસ વીઘા જમીન ઉપર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. ૧૬ સોળ મહિના પહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી તથા ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના વરદહસ્તે ખાત મૂહુર્ત કરવામાં આવેલ. આજે 1,25,000 સવા લાખ લાખફુટ બાંધકામ પૂર્ણ થયું છે. હાલ પ્રથમ વર્ષે ધો. ૬ થી ૮ના 110 વિદ્યાર્થીઓ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાના પાઠો શીખી રહ્યા છે. આચાર્ય શ્રી વિહાર સાહેબના જણાવ્યાનુસાર વહીવટી ઓફિસો સાથે AI લેબ, મ્યુઝીકલ સ્ટુડિયો, સ્કીલ ડેવલોપમેન્ટ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, ક્રાફ્ટ રૂમ, ડાન્સ રૂમ, સ્કેટિંગ ગ્રાઉન્ડ, ક્રિકેટ તથા કબડી, વોલીબોલ વગેરેના મેદાનો તૈયાર થયા છે. વધુમાં શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર નાઘેર તથા બાબરીયા વાડ સહિત ગીર સોમનાથ જિલ્લાના બાળકો યુવાનો તથા ભાવિકોને માટે અહીં સહજાનંદ ધામ તૈયાર થઈ રહ્યું છે. જેમાં સનાતન ધર્મદર્શન, પરિવાર સાથે નિર્દોષ આનંદ લેવા માટે વિવિધ વિરાટ ઝૂલાઓ પણ તૈયાર થયા છે. ઉદ્ધાટન અવસરે ગીર સોમનાથ જિલ્લાના સાંસદ શ્રી રાજેશ ભાઈ ચુડાસમાએ પ્રારંભમાં સ્વામિનારાયણ સંપ્રદાય દવારા થતા સંસ્કૃતિના પોષણ રક્ષણની સેવાને બીરદાવી હતી. અહીં આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઉનામાં બાળકો ભણીને સારા ભારતીય બની દેશને ઉજવળ બનાવશે. આ પ્રસંગે સુરત ગુરુકુલના મહંત તથા આ સંસ્થાના નિર્માણના માર્ગદર્શક પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, સંત મહાસભાના ભારતીય ઉપાધ્યક્ષ અને શ્રી સ્વામિનારાયણ આશ્રમના મહંત શ્રી હરિવલ્લભદાસજી સ્વામી તથા શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ ઉનાના શાસ્ત્રીશ્રી માધવદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. ટીંબા શીતળામાતા મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ, સુરત, જૂનાગઢ, વડોદરા, જસદણ, પોઇચા નીલકંઠ ધામ, પાટણી વર્ણીન્દ્ર ધામ, તરવડા, ભાવનગર, ભરૂચ રાજકોટ વગેરે ગુરૂકુલોથી સંતો મહંતો તથા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારકેશભાઈ દોમડીયા, રાજકોટ ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી અને ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી શ્રી સંજયભાઈ પરમાર, ગીરસોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાળા, રક્ષિત પટેલ વગેરે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેલ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનું શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સરસવના ઝીણાદાણાનો હાર પહેરાવી સ્વાગત કરેલ. સરસવના દાણા ઉપર જરગલી ગામના, હાલ સુરત ગુરુકુલના શિક્ષક શ્રી રમેશભાઈ ખૂંટ પરિવારે દસ મહિના સુધી દસ હજાર દાણા ઉપર સ્વામિનારાયણ મંત્રો લખ્યા છે. આ પ્રસંગે નીકુંજભાઈ કથીરીયા, ત્રાકુડાના હિરેનભાઈ દુધાત પરિવાર, રાજકોટમાં કન્યા ગુરૂકુલના ભૂમિદાતા શ્રી વસંતભાઈ લીંબાસીયા, જસદણ ગુરુકુલનું નિર્માણ કરાવી રહેલા શ્રીહરિ નમકીનવાળા શ્રી વિપુલભાઈ સુલીયા, ફાટસર હાલ ભરૂચ ગુરુકુલના દાતાશ્રી નરેન્દ્રભાઈ ધાનાણી, ભરૂચના શ્રી મનીષભાઈ, ઉના ગુરુકુલના આચાર્ય શ્રી વિહારભાઈ, તેમજ સમર્પિત ભક્તોને આશીર્વાદ પાઠવેલ . ઉના ગુરુકુળમાં રાત્રિ દરમિયાન આજુબાજુના ગામડાઓના ભક્તો પણ સેવા કરવા માટે દોડી આવતા એવા ગામોમાં ફાટસર, જરગલી, વડવીયાળા , ગીરગઢડા, અમોદરા, ભાચા, ટીંબી, ધ્રાબાવડા, ખીલાવડ, અંબાડા, દ્રોણ, નાળીયેરી મોલી, જુડવડલી વગેરે ગામોના યુવાનોએ સમૂહમાં વિવિધ મોટા હાર પહેરાવી ગુરૂ વર્ષ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીવાદ મેળવી ધન્યતા અનુભવેલી. આ પ્રસંગે જૂનાગઢ તથા વડોદરા ગુરુકુલના વિદ્યાર્થીઓએ ગણેશ વંદના સાથે વિવિધ નૃત્યો રજૂ કરેલ. નૂતન ઉના ગુરુકુલના બાળકો સદગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો મુખપાઠ બોલેલ. તથા ગુરુ પૂજન નૃત્ય દ્વારા આશીર્વાદ મેળવેલ . અંતમાં રંગારંગ આતશબાજી સાથે ઉદઘાટન પ્રવેશોત્સવનું સમાપન કરવામાં આવેલ .

🔴 LIVE | Udghatan Mahotsav | Shree Swaminarayan Gurukul Una | 28 June 2026

Guinness World Records Participants Felicitation Ceremony, Sewadi #baps #satsangdiksha #mahantswami

એક એક સંતને જમાડતા પૂ. મહારાજ શ્રી | રઘુવીરજી મહારાજના દર્શનની ઝાંખી.. @ Surat

Never Alone - A story of Mohanbhai

torda swaminarayan temple l ટોરડા સ્વામિનારાયણ મંદિર l gopalanand swami janmbhumi l torda history

Pu. Krushnpriy Swami | Udghatan Mahotsav 2026 | Una Gurukul

Shree Harini Swabhavik Chesta | શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા | Animation | GyanjivandasjiSwami -Kundal

Manav Utkarsh Rajkot last celebration🔥 | BAPS | Apurvamuni Swami live @gamtu_gujarat_official

Activities - Rakshit- Shree Ghanshyam Bal Mandal Seychelles #ghanshyambalmandalseycheles #activities

10 October, 1993 Ashish GuruHari HariPrasad Swamiji | Atmiyata

Shayan Mansi Darshan

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 27 June 2026 6:15 am (IST)

રથયાત્રા ll ભગવાન આપણી રક્ષામાં બેઠા છે ll આજના પવિત્ર દિવસે સાંભળીએ સુંદર કથા પ્રવચન ll 🙇🏽 🙏🏽

Guinness World Records Participants Felicitation Ceremony, Sewadi #baps #satsangdiksha #mahantswami

Harijan Sacha Re

Pu. Sadguru Dharmvallabhdasji Swami | Udghatan Mahotsav 2026 | Una Gurukul

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha

"કુસંગનું ભયંકર પરિણામ"— નિષ્ઠાવાન કારિયાણીના વસ્તાખાચર પણ થોડા કલાકના કુસંગથી ભગવાનથી વિમુખ થઈ ગયા!

Am Bhāgya Tano Nahi Pār | Mahant Swami Maharaj 92 Janma Jayanti - Live | અમ ભાગ્ય તણો નહીં પાર

