Balbhavan Girdharbhai Sangrahalay Amreli | બાલભવન ગિરધરભાઈ સંગ્રહાલય અમરેલી | Chalo Farva Jai A
ડિસ્ટ્રિક્ટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન’સ મ્યુઝિયમ & બાલ ભવન, અમરેલી(ગુજ.ઇન્ડ) Temple,Library Road, opp. Ramji Mandir, nr. Shri Nagnath Mahadev Temple, Amreli, Gujarat 365601 Bal Bhavan The Bal-Bhavan started under the aegis of the Shree Girdharbhai Sangrahalay is affiliated with the National Bal-Bhavan, (Govt. of India)New Delhi. Bal-Bhavan Conducts a wide range of activities for children in Music, Arts, Heritage and Astronomy and Science. This section allows children to freely conduct experiments of their own subject of general science and natural history. They can also spend some time and make toys of their choice and take part in the craft and recreational activities that are offered. It caters to various age groups as older children have access to mechanical and electronic toys. It also includes proper facilities for outdoor and indoor games. Kathi House This section displays the various craft of the Kathi culture of the Kathiawar region. Beadwork, Hir-work, Toran, Chakla, Batwas, Hindhonis etc are on the display includes a informative map of Kathi rulers and their aria supported by some photographs as well. National History Sangrahalaya The natural history section focuses on the flora and fauna of this region. The story of evolution, the rise and fall of dinosaurs, migratory birds and bird of the region, extinct species of bird and animals, etc are all displayed in a simple yet fascinating and... અમેરિકા અને યુરોપમાં જ્યારે સંગ્રહાલય પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે તેના પાયાના હેતુઓમાં શિક્ષણ મુખ્ય હતું. કલા, સંસ્કૃતિ તેમ જ ઐતિહાસિક વારસાની સાચવણીના નમૂનાઓનાં પ્રત્યક્ષ દર્શનથી અમૂલ્ય શિક્ષણ મળે છે. ખાસ કરીને બાળકોને સંગ્રહાલયમાં મૂકવામાં આવેલા નમૂનાઓના પ્રત્યક્ષ નિદર્શનથી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય છે. અમેરિકામાં આ વિચારથી ઉદ્ભવેલાં સંગ્રહાલયોનો વિચાર અમલમાં મૂકવા અમરેલીના રત્ન પદ્મશ્રી તાપરાય મહેતાએ પહેલ કરી. ઈ. સ. 1953માં દિલ્હીમાં બાળ સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું અને પછી પ્રાયોગિક ધોરણે શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા અમરેલીમાં પણ તે શરૂ કરવામાં આવ્યું. અમરેલી વડોદરા રાજ્યનો ભાગ હતો, આથી વડોદરાની જેમ જ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને મહત્ત્વ અપાતું અને આ રીતે બાળસંગ્રહાલયની આ યોજના અમરેલીમાં ખૂબ ઝડપથી અમલમાં મુકાઈ. સ્થાપનાઃ 1934માં વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અમરેલીની ઠેબી અને વડી નદીઓ પાસેના ટીંબાઓનું ઉત્ખનન કર્યું. અહીંથી મળેલા અવશેષો સ્થાનિક પુસ્તકાલયના એક ખંડમાં સંગ્રહિત કર્યા અને સંગ્રહાલયની શરૂઆત થઈ. ઈ. સ. 1955માં શ્રી તાપભાઈ મહેતાએ સંગ્રહમાં મોટો ભાગ આપી સંગ્રહાલયની શરૂઆત કરી તેથી તેમના પિતાજીના નામ પરથી સંગ્રહાલયનું નામ શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલય રાખવામાં આવ્યું. 1958માં આ સંગ્રહાલય બોમ્બે પબ્લિક ટ્રસ્ટ હેઠળ રજિસ્ટર્ડ થયું. સંગ્રહાલય શહેરની મધ્યમાં 1835માં બનેલા રંગમહેલમાં સ્થાન પામ્યું છે. સંગ્રહઃ અહીં પ્રદર્શિત સંગ્રહનો મુખ્ય હેતુ બાળકો-કિશોરોને જ્ઞાન આપવાનો છે. બાળકોની આંતરિક શક્તિ ખીલવી તેમને જ્ઞાનપિપાસુ બનાવવાનો છે. અહીં પ્રદર્શિત કોઈ પણ પ્રતિકૃતિ એક શૈક્ષણિક સાધનની ગરજ સારે છે. આ સંગ્રહાલયમાં કુલ 5,058 નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જોકે તમામ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી. સંગ્રહાલય 14 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. મુખ્ય વિભાગો નીચે મુજબ છેઃ (1) પુરાતત્ત્વ દર્શન ખંડઃ આ વિભાગમાં અમરેલી અને વેણીવદરમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો, તામ્રપત્ર, ક્ષત્રપ સમય અને ગુપ્ત સમયના સિક્કાઓ, ચિનાઈ તેમ જ પકવેલી માટીની વસ્તુઓ, જૈન શિલ્પો, હિન્દુ શિલ્પો વગેરે મુખ્ય છે. (2) કલા વિભાગઃ અહીં સૌરાષ્ટ્રનાં વિશિષ્ટ કીડિયા મોતીના હસ્તકળાના નમૂનાઓ, ચંદરવા, ચાકળા, તોરણ, મથરાવટી, ઈંઢોણીઓ, બટવાઓ, વીંઝણાઓ, પાટણનાં પટોળાં, સુરતનું જરીકામ, ગુજરાતનાં ધાતુશિલ્પો, તલવાર, ઢાલ વગેરે મુખ્ય છે. (3) નૃવંશ વિષયક વિભાગઃ અહીં સૌરાષ્ટ્રની મુખ્ય જાતિઓ ભરવાડ, કાઠી, વાધેર, મેર, પસાયતાના પહેરવેશ, જીવનશૈલી, કલાના નમૂનાઓ, પહેરવેશ સાથે તેમનાં પૂતળાંઓ તેમના પરિવેશમાં દર્શાવ્યાં છે. (4) મહાત્મા ગાંધી વીથિકાઃ અહીં શ્રી ગાંધીજીના જીવનની ઝાંખી વિવિધ રંગીન ચિત્રો દ્વારા કરાવવામાં આવી છે. (5) આંતરરાષ્ટ્રીય વીથિકામાં વિવિધ દેશોનો પરિચય તેમના નકશા, રાષ્ટ્રીય ધ્વજ, પોશાક, ચલણ, ટપાલટિકિટ સાથે દર્શાવ્યાં છે. (6) ટપાલટિકિટ વિભાગમાં વિવિધ દેશોની ટિકિટો વિષયવાર, જેમ કે પક્ષીઓ, પોશાક, રમત-ગમત વગેરે રીતે ગોઠવવામાં આવી છે. (7) તારા-ગંગા વિભાગમાં બાળકો વિજ્ઞાનના સામાન્ય નિયમો જુદાં જુદાં સાધનો દ્વારા આપમેળે શીખે તેવું આયોજન કરેલું છે. અન્ય વિભાગોમાં રમકડાં વિભાગ, તૂફાન રફાઈ (અમરેલીના ચિત્રકાર) કલા વિભાગ, પ્લેનેટોરિયમ વિભાગ તથા નેહરુ વિભાગ મુખ્ય છે. આ સંગ્રહાલયમાં દાખલ થતું કોઈ પણ બાળક કે અન્ય મુલાકાતી ઘણું બધું જ્ઞાન મેળવીને જાય તે રીતે સંગ્રહિત વસ્તુઓ ગોઠવવામાં આવેલી છે. આ ઉપરાંત આ સંગ્રહાલયમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ, જેવી કે નાટકો, સંગીત, પુસ્તકાલય, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા, નેચર ક્લબ, ઉનાળુ અને શિયાળાની રજાઓના કેમ્પ, આકાશદર્શન વગેરેનું અવારનવાર આયોજન કરવામાં આવે છે. આ સંગ્રહાલયમાં બાળવિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજુબાજુની શાળાઓ તથા સ્થાનિક બાળકો તેનો મોટા પ્રમાણમાં લાભ લે છે. સંપર્ક ઃ શ્રી ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, ફોન ઃ (02792) 22118, 22367 સમય ઃ 9.00 થી 12.00 3.30 થી 6.30. બુધવારે બંધ.

વીર બાવા વાળા🔥અંગ્રેજોને કંપાવી દીધા | વીર બાવા વાળા - ભક્તિથી જન્મ, વીરતાથી ઇતિહાસ લખનાર |

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનું દિવ્ય જીવન | ધારીથી વિશ્વ સુધી – યોગીજી મહારાજનું અદ્ભુત જીવન |

के चिनामा पूर्वजन्म,भविष्य र मृत्यु पहिल्यै लेखिएको हुन्छ? चिना नहुनेले भाग्य कसरी हेर्ने? | RST

⚔️મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી નું દવાખાનુ #full video #gujrativlog

શું ખરેખર ભીમ અહીં સૂતા હતા? 😱| Bhim na Khatla na paya | Mithi Virdi | Gurjar dharaa Vlogs

Reset Your Brain Naturally 🧠 | Indian Classical Raga Music for Deep Focus & Inner Calm

🛑bhavnagar rathyatra 2026 |ભાવનગર રથયાત્રા 2026 | લાખો ભક્તોની ભવ્ય શોભાયાત્રા | Darshan Studio BVN🛑

Real Story of Vir Ramvala Baharvatiyo | Gujarat History | વીર રામવાળા - ગાયકવાડ સરકાર સામે બળવો |

🔴Live Day-1 Bhagwat Katha | columbus - Georgia - USA | satshri #satshri #satshrikatha #bhagwatkatha

હરિદ્વારમાં છુપાયેલું દિવ્ય સ્થાન | પાયલોટ બાબા આશ્રમનો અદભૂત પ્રવાસ |

TURIYA (German Version) - Das Leben und die Lehren von Ramana Maharshi

વીર ચાંપરાજ વાળા - એકલા અંગ્રેજ સરકાર સામે લડનાર સૌરાષ્ટ્રના શૂરવીર | 250 વર્ષ જૂની ગાથા |

હરિદ્વારનું અદભૂત ભારતમાતા મંદિર | ભારતમાતા મંદિર હરિદ્વાર |

Chappaiya ni yatrama pu.lilaba tatha sankhyyogi baheno || Amreli Mahila Mandir

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નુ દવાખાનુ 😱 વર્ષો જુનુ 😯

આખો નેહડો એક શ્રાપ થી પથ્થર બની ગયો ખોડીયાર માનો ઈતિહાસ //khodiyarMaa no itihas #khodiyarma#trending

વિર પુરુષ શ્રી મોખડાજી દાદા નું મસ્તક મંદિર _ઘોઘા ||ભાવનગર

Vir Patada keri Amne Dhun Lagi Re # વીર પાતા દાદા કેરી અમને ધૂન લાગી રે || Dinesh Vaghasiya ||

વિજયમહેલ નો ઇતિહાસ || કૃષ્ણ કુમારસિંહ અને વિજયમહેલ ની ગૌરવગાથા @PankajVlogs1204

