Interview of ઋષિતુલ્ય પૂ. લાલબાપુ | Pujya Lal Bapu, Gayatri Ashram Gadhethad #lalbapu
ગાયત્રી આશ્રમ ગધેથડ એટલે એક અલૌકિક જગ્યા.. કુદરતના ખોળે, વેણુ નદીના કાંઠે, એક નાનકડી હિલ ઉપર આવેલ ગાયત્રી મંત્રની બહ્માંડીય ઉર્જાથી સભર તેવું મંદિર-સ્થાન અને પુ. લાલબાપુની સાધના સ્થળી. પુ. લાલબાપુને પહેલી વાર રુબરુ મળતા એક અનુભૂતિ ક્રિસ્ટલ ક્લિઅર થઇ અને તે હતી "સત્યુગના ઋષિમુની જાણે આ કલિકાલમાં" કળિયુગનાં ઋષિમુની એટલે પુ. લાલબાપુ. માત્ર ૧૫ વર્ષની ઉંમરથી જ સાધના ક્ષેત્રમાં આવી ગયેલા અને ત્યારથી ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરવાનું શરુ કર્યું. જાણે ગયા જનમનો જોગી તેની સાધનાને આગળ વધારવા બાળપણથી જ ગયા જનમની સાધનાને આગળ ધપાવવાનું આધ્યાત્મિક પગલુ ભર્યુ! પછી તો કેવી કઠણ કહેવાય તેવી સાધનાઓ કરી જેમાં ૨૪ લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન હોય કે સવા કરોડ મંત્રોનુ અને ત્યારબાદ ૫૫૧ કુંડી સુધીના યજ્ઞ. અત્યારના સમયમાં જ્યારે મોબાઇલ વધુ અને માળા ઓછી દેખાય છે તેવા સમયમાં પુ. લાલબાપુનાં આશ્રમ પર કોઇ ઇલેક્ટ્રીક વસ્તુઓ નહિ જેમકે મોબાઇલ, ફ્રિજ વગેરે. બાપુ મોબાઇલ તો નથી જ રાખતા પણ એવું પણ નહિ કે કોઇ સેવકનાં ફોનમાં કોઇ સાથે વાત કરે. ફોનને સ્પર્શ પણ કરવાનો નહિ. હવે, આવા નિયમ તો કોઇ ઋષિમુની જ લઇ શકે. ચહેરા પર એક તેજસની આભા એકદમ સ્પષ્ટ દેખાય, તેમણે કરેલ સાધનાનું પ્રતિબિંબ ચહેરા પર પણ નિર્મિત થાય અને વાણી દ્વારા તો જાણે મંત્રો જ બોલાતા હોય તેવું અલૌકિક વાતાવરણ લાગ્યા કરે. તેમને જોઇને જ આદરભાવ પ્રગટ થઇ અને તેમનું વાત્સલ્ય પણ એવું જ. આશ્રમનું કોઇ બેન્ક એકાઉન્ટ નહિ, કોઇ સંસ્થાકીય રચના નહિ, કોઇ ડોનેશન પહોંચ નહિ અને તેમ છતા પણ આશ્રમ પર બન્ને સમયે પાક્કો પ્રસાદ ભાવિકોને પીરસવામાં આવે છે જેમકે રોટલી, શાક, ગુંદી-ગાંઠીયા, મિઠાઇ, ખીચડી, ફ્રાઇમ્સ અને છાસ! ભજન(સાધના) અને ભોજનની એકસુરતા. પુ. લાલબાપુ આશ્રમ પર કેન્સર, એઇડ્સ જેવા અસાધ્ય રોગો તેમજ અન્ય રોગો માટે આયુર્વેદિક દવાનું સુચન પણ કરતા હોય છે જે શનિ, રવિ અને પુનમ સિવાયના દિવસો દરમ્યાન રાત્ર ૮થી ૧૧ વાગ્યે આપવામાં આવે છે અને તેનાથી દર્દિઓ સાજા થઇ ગયાના પણ દાખલા છે. આ સેવા એકદમ નિ:શુલ્ક છે. પુ. લાલબાપુ દિવસમા ૨૪ કલાકમાથી ૨૧ કલાક તેમના સાધનાસ્થાનમાં જ હોય છે અને રાત્રે ૮થી ૧૧ વાગ્યે એમ ત્રણ કલાક જ બહાર આવે છે જેમાં આવેલ સાધકો-ભક્તોને દર્શન આપે છે તેમજ પ્રવચન કરે છે અને તેઓ ત્યારે ભોજન ગ્રહણ કરે છે. પુ. બાપુની સાથે તેમના પડછાયાની જેમ રાજુ ભગત રહે છે જેઓ બાપુની સાથે જ હોય છે - સાધનાસ્થળ પર તેમ બહારગામ બાપુને જવાનુ થાય ત્યારે. છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ બાપુની સાથે જ રહ્યા છે અને બાપુની સેવા કરી રહ્યા છે. આશ્રમ પર દોલુ ભગત છે જેઓ મંદિરમાં આરતીની જવાબદારી સંભાળે છે તેમજ અન્ય વ્યવસ્થાઓનું પણ ધ્યાન રાખતા રાખતા તેમની સાધના કરે છે. આશ્રમ પર રસોઇ માટે રાજસ્થાની રસોઇયા છે તેમજ પીરસવાથી માંડીને વ્યવસ્થાને સંભાળવા માટે બાપુના સેવકો જ સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે. એક સાત્વિક વાતાવરણની અનુભૂતિ થયા વગર રહે. આરતીનો સમય સાંજે આઠ વાગ્યે હોય છે(ઋતુ પ્રમાણે કદાચ ફેરફાર હોઇ શકે). અને ત્યા રાત્રે આમ તો કોઇને રહેવાની મનાઇ છે સિવાય કોઇ દુરથી આવ્યુ હોય અને તેમાય માત્ર પુરુષોને જ. સ્ત્રીઓને રાત્રે આશ્રમમા રહેવાની સખત મનાઇ છે, ભલે પછી પતિ કે પરિવાર સાથે હોય. આશ્રમની મુલાકાત દરમ્યાન ત્યા લાલબાપુના નાનાભાઇ રતુભાને પણ મળવાનું થયુ અને તેમની સાથે પણ સત્સંગ કર્યો જેનો વિડીયો પણ અવેલેબલ થશે સ્પીક બિન્દાસ યુટ્યુબ ચેનલ પર. તેમજ ચા બનાવવાની જવાબદારી સંભાળતા વિનુભાઇ પણ ખૂબ ભાવુક વ્યક્તિ. નિરુભા કરીને બાપુના સેવક કે જેમના થકી અમે બાપુના ઇન્ટરવ્યુનો સમય લીધેલો તેઓ પણ આશ્રમ પર સેવા આપતા હોય છે. બાકી તો આ કળિકાળમાં, રણમાં મિઠી વિરડી જેવા પુ. લાલબાપુને મળવુ અને તેમના દર્શન કરવા તે પણ એક લ્હાવો છે. #lalbapu #gadhethad #gayatriashram #gayatriashramgadhethad #Gayatri #upleta #dhoraji #rajkot #speakbindas #devangvibhakar #ashram --- Special Thanks: Dr. Jogin Joshi, Jamnagar Nirubha Vala, Gadhethad Jaydipsinh Vala, Gadhethad Cameraman: Dixit Dhanja Chetan Katkoria ------- Follow us: ➤ Instagram: / speakbindas ➤ Facebook: / speakbindasofficial ➤ E-mail: [email protected] ➤ Website: https://www.speakbindas.com/ ➤ WhatsApp Groups: 1. Speak Bindas: https://chat.whatsapp.com/Fvi9CvNGLBD... 2. આધ્યાત્મ માર્ગ: https://chat.whatsapp.com/H8Mx5M51ENH... ------ "Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation." ===== "SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં." ===== Disclaimer: "The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."

THE RONAK PATEL SHOW | લાલબાપુની દિવ્ય શક્તિ | Lal Bapu Interview | Gayatri Ashram Gadhethad

મુરલીધરદાદા II ગુરુદેવ શ્રીલાલબાપુ- શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય રાજકોટ પદ્યરામણી

રેખાબેન દેસાઈ એ બાપુનું દિલ જીતી લીધું | Rekhaben Desai | Jadav Gadhvi Loksahitya

મંદિરના ઓટલે પૂ. લાલબાપુનો સહજ સત્સંગ | Lalbapu Satsang, Gayatri Ashram Gadhethad #lalbapu

સંત શ્રી બજરંગદાસ બાપા ને સૌ પ્રથમ બંડી કોણે આપી હતી? જાણો રામદાસબાપા ગોદડીયા નો ઇતિહાસ

Jagdish Mehta | અલ-નીનોનો ખતરો ચોમાસા પર ખરેખર કેટલો? | જયંત પંડ્યા અંબાલાલની સળી કરી ભરાઈ ગયા?

અનેક દુખીયા ના દુઃખ દૂર કરે છે - લીમડા વાળા મામા દેવ - મોટી ધણેજ , માળીયા હાટીના || Mama Dev

Interview: Smt. Indiraben Joshi Bhatt | Daughter of Pujya Bhai Nathalal Joshi | Ramanath Dham Gondal

રાજકોટ મા પેટ પકડીને હસાવ્યા બઘેશ્વર ધામ બાબા ને🤣 | Mayabhai Ahir | કીર્તન-Kirtan

ગિરનારની ગોદમાં સિદ્ધયોગી દશરથબાપુના જીવનની વાતો | Dashrath Bapu | Girnar | Shivratri

સંતસંગ : Lalbapu Gayatri Aashram Gadhethad (Part 2) | ABTAK MEDIA

Uncut Podcast। વેણુ નદીને કિનારે ગાયત્રી આશ્રમનાં લાલ બાપુ સાથે સંવાદ।Devanshi Joshi

Rajkot Baba Bageshwar | પત્રકાર Jagdish mehta વર્ણવે છે 'સાક્ષાત્કાર'નો સ્વાનુભવ

જાનબાઈના ઓરડામાં રાત્રે કોણ આવતું હતું? જૂઠા ચૈત્રાએ જોયું રૂંવાડા ઉભા કરી દે તેવું દ્રશ્ય!

રાજકોટમાં બાઘેષ્વરધામ બાબા હસી હસીને ગોટા વળી ગયા | Mayabhai Ahir | પ્રભાતિયા-Bhajan

"અલ નીનો" મોદી માટે આફત કે આર્શીવાદ?

જશુભા બાપુ હજામચોરા | જૂની વાતોના જાણતલ | Lokyatra

ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે સુરીલો સંવાદ ભાગ 01

આ બાપુની વાત સાંભળી બધા જોતા રહી ગયા | Mahant Partap Puri Maharaj | Lakhamachi

