ખોડિયારમાં નો ઇતિહાસ | Khodiyar maa history in Gujarati | Khodiyar maa ni ||khodal maa
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતોજેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ભાવનગર જિલ્લાના બોટાદતાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ. આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં. ખોડીયાર માના ડાકલા ખોડીયારમાના પિક્ચર ખોડીયારમા મૂવી ખોડીયાર મા ના ગીતો ખોડીયાર મા ના ગરબા ખોડીયાર માનો ઈતિહાસ ખોડીયાર મા ની પ્રાગટ્ય કથા khodal maa khodal maa no itihas Khodiyar maa Bhavnagar Khodiyar maa rajpara Khodiyar maa matel Khodiyar maa rohishala khodal maa birth place khodal maa status Khodiyar maa status

આઇ શ્રી ખોડિયાર માં નો સંપુર્ણ ઈતિહાસ-આવડ-ખોડલ જન્મ ભુમિ રોહિશાળા સાહિત્યકાર લાખાભાઇ રબારી#લોકવાર્તા

વાંકાનેર રાજા અને ખોડીયાર માની જોરદાર ઘટના | khodiyar ma no itihas | Raja Meladi

સમશેરની સચ્ચાઈ અને ગીરનો બહારવટીયો #રાજા#dharmik #viralvideo #trending #gujarati

અવતારી આઈ ખોડીયાર || Avtari Aai Khodiyar || Ma Khodiyar Ma || Devotoinal Film || Gujarati Movie 2025

પાકિસ્તાનમાં સિકોતર માઁ,ખોડીયાર માઁ અને પઠ્ઠા પીર નો જોરદાર ઈતિહાસ | khodiyar ma no itihas |

ખોડિયાર માં મગર પર જ કેમ સવાર થાય છે? પાછળનું રહસ્ય જાણો!

Khodiyar Maa Varta | Yogeshdan Gadhvi | Lok Dayro

મહાકાળી માં અને રાજા વિક્રમ નો કાળજા કંપી નાખે એવો પ્રસંગ || pavagadh mahakali maa no itihas

આતાભાઇ ગોહિલ ને ખોડલની લગની લાગી | Aatabhai Gohil Ne Khodalni Lagani Lagi Valambhai Nu Dharmik Song

રણછોડ કૃષ્ણ? શ્રી કૃષ્ણએ મથુરા કેમ છોડ્યું | Krishna Strategy Explained @GujaratiDharmKatha

ખોડિયાર માં ના પરચા - વીડિયો II NAVGHAN NE MAA NO PARCHO II New Gujarati TELEFILM

અઘોરી ની વિદ્યા ને બાળી માઁ ખોડીયારે નવ વર્ષે રા' નવઘણ ને જન્મ અપાવ્યો | khodiyar ma no itihas |

Khodiyarmani Varta ll ખોડિયાર માની વાર્તા. 01 Pravinbhai Raval ll Khodal Studio Barwala

ખોડિયાર માતાજીનું રવિવારનું વ્રત કેવી રીતે કરવું? સંપૂર્ણ વિધિ અને નિયમો | Khodiyar Maa Vrat

માં ખોડીયાર દુઃખ દુર કરે | ખોડીયાર જયંતી મા સાંભળવા જેવી વાત | Rajbha Gadhvi | Khodiyar Ma Ni Vat

રાંદલ માં રીસાઈ ને પીયર કેમ ગયા? માતાજી નાં 2 મુખ કેમ છે? ઘોડો ખુંદવા પાછળ નું કારણ શું?જાણો ઇતિહાસ

Jai Khodiyar Maa | જય ખોડીયાર માં | Full Gujarati Film | Shrikant Soni

ખોડીયાર માતાજી નું જન્મ સ્થળ.ઈતિહાસ,રોહિશાળ Khodiyar Mataji Tempale.Histry Rohishalaભાગ 1 મકાન પણ છે

લાખા અને ગોરલની અદભુત પ્રેમ કથા | નગીછાણા ગામની સત્ય ઘટના | KB Siddhpur|

